ઇઝરાયલ-હમાસ યુદ્ધમાં નુકસાનની સાથે ભારતને આ ફાયદો...

  • October 29, 2023 06:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલ યુદ્ધ ભારત અને અન્ય દેશોમાં ઈઝરાયેલની કંપનીઓ માટે નવા વેપારની તકો ખોલી શકે છે. આ ઇન્ટેલ, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી કંપનીઓ માટે તકો ઊભી કરી શકે છે જેમણે તેમના કર્મચારીઓને સુરક્ષિત રાખવા માટે ઇઝરાયેલમાં કામગીરી બંધ કરી દીધી છે. આ ઉપરાંત, ઇઝરાયેલની ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે પણ નવી તકો ખુલી શકે છે કારણ કે પશ્ચિમ એશિયાના ઘણા દેશો તેમની આયાત પર નિર્ભર છે. ભારતના તેલના ભાવ અને આયાત-નિકાસને પણ અસર થઈ શકે છે.



હમાસના આતંકવાદીઓના હુમલા બાદથી ઈઝરાયેલની જવાબી કાર્યવાહી ચાલુ છે. ઇઝરાયેલે નક્કી કરી લીધુ છે કે, જ્યાં સુધી તે હમાસના આતંકવાદીઓને ખતમ નહીં કરે ત્યાં સુધી તે યુદ્ધ ચાલુ રાખશે. જો કે યુદ્ધ કોઈના માટે સારું નથી, પરંતુ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા આ યુદ્ધના ઘણા છુપાયેલા ફાયદા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થાના યુગમાં દરેક દેશ અન્ય સાથે જોડાયેલા છે. આવી સ્થિતિમાં યુદ્ધની અસર માત્ર ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન સુધી સીમિત નહીં રહે. તેની અસર વૈશ્વિક હશે. ભારતના પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો યુદ્ધને કારણે મોંઘવારી વધશે, પરંતુ આ યુદ્ધથી કેટલાક ફાયદા થશે.


ફાર્મા કંપનીઓને ફાયદો
ઇઝરાયેલ-હમાસ યુદ્ધ ભારતીય ફાર્મા કંપનીઓ માટે નવી તકો ખોલી શકે છે. યુદ્ધ અને તણાવના કારણે પશ્ચિમ એશિયાના ઘણા દેશોના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો સંકટનો સામનો કરી રહ્યા છે. યુએઈ, બહેરીન, ઓમાન, કતાર જેવા દેશો આયાત પર નિર્ભર છે. યુદ્ધના કારણે આ દેશોના લગભગ 1 અબજ ડોલરના ડ્રગ્સ વેપારને અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં આ દેશ ભારતીય ફાર્મા ઉદ્યોગ તરફ વળી શકે છે. આ તેમના માટે એક તક હોઈ શકે છે. જો કે એવું નથી કે આ યુદ્ધ ભારતને અસર કરશે નહીં. ક્રૂડ ઓઈલના ભાવ વધવાથી દેશમાં મોંઘવારી વધી શકે છે. આયાત-નિકાસને અસર થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application