રૂડાનો નિર્ણય: કાલાવડ રોડના ૪૫ ફલેટની ફાળવણી અંતે રદ

  • February 07, 2025 02:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રૂડા દ્રારા કાલાવડ રોડ ખાતે બનાવવામાં આવેલ લોઅર ઇન્કમ ગ્રુપ પ્રકારના આવાસોમાં આજ સુધી દસ્તાવેજ–ભાડા કરાર કરાવેલ ન હોય તેવા ૪૫ આવાસ ધારકોનાં આવાસો રદ કરવા નિર્ણય કરાયો છે.
વિશેષમાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત એલઆઇજી પ્રકારના ટી.પી. સ્કિમ નં.૧૦ એફ.પી.૩૨એ, (મોટામવા), આદર્શ અને શ્રી હાઉસિંગ કો–ઓપરેટીવ સર્વિસ સોસાયટી, સરિતા વિહાર સોસાયટીની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ ખાતેની આવાસ યોજનામાં નિર્મિત આવાસ વિવિધ લાભાર્થીઓને ફાળવેલ હતા, દરમિયાન જેમના દ્રારા ડાનાં આવાસનો દસ્તાવેજભાડાકરાર આજદિન સુધી કરાવેલ ન હોય તે બાબતે લાભાર્થીઓને ડા કચેરીએથી વારંવાર નોટીસ આપવામાં આવેલ પરંતુ, આજદિન સુધી આવાસ ધારકો દ્રારા દસ્તાવેજ–ભાડાકરાર કરાવેલ ન હોય આ બાબતે બોર્ડ બેઠકમાં ઠરાવ્યા મુજબ આવા આવાસ ધારકોનાં આવાસો રદ કરવા નિર્ણય કરાયો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application