રાજીવ ગાંધી હત્યાના ત્રણેય દોષિ શ્રીલંકા પરત ફર્યા

  • April 04, 2024 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં મુકત કરાયેલા ત્રણેય દોષિતો ગઈકાલે શ્રીલંકા પરત ફર્યા હતા. રાજીવ ગાંધીની હત્યાના છ દોષિતોને ૨૦૨૨માં મુકત કરવામાં આવ્યા હતા. જેમાંથી ત્રણ મુગન ઉર્ફે શ્રીહરન, જયકુમાર અને રોબર્ટ પાયસ શ્રીલંકા પરત ફર્યા છે. જે શ્રીલંકાના રહેવાસી હતા.
બે વર્ષ પહેલા છૂટા થયા બાદ તેને તિચિરાપલ્લીમાં સ્પેશિયલ કેમ્પમાં રાખવામાં આવ્યા હતા. તે ગઈકાલે રાત્રે જ કોલંબો જવા રવાના થયા હતા. તમિલનાડુ સરકારે અગાઉ મદ્રાસ હાઈકોર્ટને કહ્યું હતું કે તેઓ ફોરેનર્સ રિજનલ રજીસ્ટ્રેશન ઓફિસ (એફઆરઆર) તરફથી દેશનિકાલના આદેશો મળ્યા બાદ શ્રીલંકા પરત ફરી શકે છે.

શ્રીલંકાના હાઈ કમિશને આ ત્રણેયના તેમના દેશમાં પાછા ફરવા માટે પ્રવાસ દસ્તાવેજો જારી કર્યા હતા. રાજીવ ગાંધી હત્યા કેસમાં શ્રીલંકાના અન્ય એક નાગરિક સંથનનું મોત થયું હતું. આ સિવાય રાજીવ ગાંધી હત્યા કેસમાં જે અન્ય લોકોને મુકત કરવામાં આવ્યા હતા. તેઓ પેરારીવલન, રવિચંદ્રન અને નલિની છે. આ તમામ ભારતીય નાગરિક છે.

૨૧ મે ૧૯૯૧ના રોજ રાજીવ ગાંધીની તમિલનાડુમાં એક ચૂંટણી રેલી દરમિયાન આત્મઘાતી હુમલામાં હત્યા કરવામાં આવી હતી. એક મહિલાએ તેમને હાર પહેરાવ્યા બાદ વિસ્ફોટ થયો હતો. આ અકસ્માતમાં ૧૮ લોકોના મોત થયા હતા. આ કેસમાં કુલ ૪૧ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. ૧૨ લોકોના મોત થયા હતા અને ત્રણ ફરાર થઈ ગયા હતા. જયારે બાકીના ૨૬ પકડાયા હતા. તેમાં શ્રીલંકન અને ભારતીય નાગરિકો હતા.

આરોપીઓ સામે ટાડા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સાત વર્ષની કાનૂની કાર્યવાહી બાદ ૨૮ જાન્યુઆરી, ૧૯૯૮ના રોજ ટાડા કોર્ટે તેનો હજાર પાનાનો ચુકાદો આપ્યો. જેમાં તમામ ૨૬ આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે ૨૬માંથી ૧૯ દોષિતોને મુકત કર્યા છે. માત્ર ૭ દોષિતોની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી હતી. બાદમાં તેને આજીવન કેદમાં બદલી દેવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application