સર્વ સમાજ સ્વ.કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલિ આપશે

  • September 14, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને સૌરાષ્ટ્રની ધીંગી ધરાના અડીખમ નેતા સ્વ.કેશુભાઇ પટેલની ચતુર્થ પુણ્યતિથિ પર રાજકોટ ખાતે વિશાળ શ્રધ્ધાંજલિ સભા દ્વારા તેમને અંજલી આપવા માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા ઓકટોબર માસમાં સ્મરણાંજલિ સભાના આયોજનને લઇને તડામાર તૈયારીઓ શ કરી દેવામાં આવી છે. સ્વ.કેશુભાઇ પટેલની પુણ્ય સ્મૃતિમાં આયોજિત આ કાર્યક્રમને વધુમાં વધુ યાદગાર બનાવવા માટે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં લોકસેવાને વરેલી તમામ સંસ્થાઓ અને વ્યક્તિ વિશેષનો સહયોગ લેવામાં આવશે.
આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના દ્વારા તમામ પક્ષના આગેવાનો રાજકારણથી ઉપર ઉઠીને તેમજ સર્વે જ્ઞાતિ સર્વે સમાજના લોકો તેમનાં માટે આજીવન સમર્પિત લોક નેતાને શ્રધ્ધાંજલિ આપી શકે તે પ્રકારે આયોજન હાથ ધરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન આખો દિવસ વિવિધ ટેબ્લો કે પ્રદર્શનોના માધ્યમથી સ્વ.કેશુભાઇ પટેલની સ્મૃતિને ફરી જીવંત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાત માટે તેમણે કરેલા કાર્યોની ઝાંખી પણ પ્રસ્તુત કરવામાં આવશે.
સ્વ.કેશુભાઇ પટેલની આ સ્મરણાંજલિ સભામાં ઉપસ્થિત જનમેદની સમક્ષ સ્વ.કેશુબાપા સાથે રાજકીય સામાજિક અને સેવાકિય ક્ષેત્રોમાં સાથે કામ કરી ચૂકેલા મહાનુભાવો તેમની સાથેની સ્મૃતિને લોકો સમક્ષ તાજી કરશે.
સ્વ.કેશુભાઇ પટેલની આ ભવ્યાતિ ભવ્ય સ્મરણાંજલિ સભાના આયોજનમાં સહભાગી થવા અને તેને લઇને યોગ્ય સુચનો માટે સર્વે સમાજ તેમજ સૌરાષ્ટ્રની લોકસેવાને વરેલી તમામ સંસ્થાઓને પણ અનુરોધ કરાયો છે. વિશેષ વિગત માટે જિજ્ઞેશ કાલાવડિયા, ચિરાગ પટેલ, ચિરાગ કાકડિયા, વિજય શિયાણી, જયદીપ બુસા, સંજય સગપરિયા, લિનેશ સગપરિયા, સંજય ખીરસરીયા, ધવલ વડાલિયા, એડવોકેટ જય પટેલ, જિગીષાબેન પટેલ, કંચનબેન મારડિયા, સોનલબેન ડાંગરિયા સહિતના આયોજક મિત્રોનો સંપર્ક સાધવા જણાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application