કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય રાષ્ટ્ર્રીય ડિજિટલ મિશન દ્રારા આરોગ્ય સેવાઓની પહોંચ વધારવાના લય પર કામ કરી રહ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યું હતું કે ત્રણ કરોડથી વધુ સગર્ભા ક્રીઓ અને લગભગ ૨.૭ કરોડ બાળકોના રસીકરણ અને દવાઓનો કાયમી ડિજિટલ રેકોર્ડ રાખવા માટે ઓનલાઈન વેકિસન મેનેજમેન્ટ પોર્ટલ યુ–વિન શ કરવામાં આવશે તેમણે કહ્યું કે કો વીન અને આરોગ્ય સેતુ એપ્લિકેશનની સફળતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તેણે દેશભરમાં ૨૨૦ કરોડથી વધુ રસીકરણ કરવામાં મદદ કરી
આયુષ્માન ભારત મોડલની નકલ કરાશે
અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત ડિજિટલ મિશન દ્રારા સમાન મોડલની નકલ કરવા માંગે છે. સરકારની આ એક મોટી યોજના છે. તેમણે કહ્યું કે ઘણા પોર્ટલ પહેલેથી જ ટેલિમેડિસિન, ટેલિમેન, ઈ–બ્લડ બેંક જેવા વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત છે અને તેમને એક જ પોર્ટલમાં જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આરોગ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ નેશનલ હેલ્થ કલેઈમ એકસચેન્જમાં થઈ રહેલા ફેરફારો વિશે જણાવ્યું હતું કે આ પારદર્શિતાને પ્રોત્સાહન આપશે અને વીમા દાવાની પ્રક્રિયાને સરળ બનાવશે. વીમા દાવાઓનું ઝડપથી નિરાકરણ કરવામાં આવશે
કો–વિનની તર્જ પર કામ કરશે યુ–વિન
યુ–વિન પોર્ટલ કોરોના વાયરસ રોગચાળા દરમિયાન કોવિડ–૧૯ રસી વ્યવસ્થાપન માટે શ કરાયેલ કો–વિન જેવું હશે. તે પશ્ચિમ બંગાળ સિવાયના તમામ રાયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રાયોગિક ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે અને યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (યુઆઈપી) હેઠળ તમામ સગર્ભા ક્રીઓ અને બાળકોના રસીકરણના દરેક શેડૂલને આવરી લે છે. નિયમિત રસીકરણનો ઇલેકટ્રોનિક રેકોર્ડ જાળવી શકાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech