રાહાના જન્મ પછી મેન્ટલ થેરાપીનો સહારો લીધો
આલિયાએ જણાવ્યું કે, તે ઘણા વર્ષોથી દર અઠવાડિયે થેરાપી ક્લાસ લઈ રહી છે. જે બાદ તેણે પોતાનામાં ઘણા બદલાવ જોયા છે. તે એક સાથે વ્યવસાયિક અને માતૃત્વની ફરજોનું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકે છે, તે બધું માનસિક સ્વાસ્થ્ય પર આધારિત છે.
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા. બંને નવેમ્બર 2022માં માતા-પિતા બન્યા હતા. આ લવબર્ડ્સ હાલમાં તેમના પેરેન્ટહુડનો આનંદ માણી રહ્યા છે. માતા બન્યા બાદ આલિયામાં ઘણા બદલાવ આવ્યા છે. હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં આલિયાએ માતૃત્વની સફરથી લઈને માનસિક સ્વાસ્થ્યની કાળજી રાખવા સુધીની દરેક બાબતો વિશે ખુલીને વાત કરી હતી.
આલિયા ભટ્ટ માનસિક સ્વાસ્થ્યનું રાખે છે ધ્યાન
એક ઈન્ટરવ્યુમાં આલિયાએ જણાવ્યું કે, તે ઘણા સમયથી દર અઠવાડિયે થેરાપીના ક્લાસ લઈ રહી છે. જે બાદ તેણે પોતાનામાં ઘણા બદલાવ જોયા છે. તેણે કહ્યુ કે એક સાથે વ્યવસાયિક અને માતૃત્વની ફરજોનું મેનેજમેન્ટ કેવી રીતે કરી શકે છે, તે બધું માનસિક સ્વાસ્થ્ય પર આધાર રાખે છે. આલિયાએ કહ્યું- હું હંમેશા વિચારું છું કે લોકો શું વિચારતા હશે. શું તેઓ વિચારતા હશે કે હું બધું સારી રીતે મેનેજ કરી શકું છું? જો કે કોઈ આપણા વિશે વિચારતું નથી, તો પણ તમે અમુક સમયે ક્રિટિકલ થઈ જાવ છો. હું મારા માનસિક સ્વાસ્થ્ય પર કામ કરી રહી છું.
દર વખતે સવાલોના જવાબો નથી મળતા : આલિયા
“દર અઠવાડિયે હું થેરાપી સેશનમાં જાઉં છું. જ્યાં હું મારા ડર વિશે વાત કરું છું. હું તેનો સામનો કરું છું. આ એવી વસ્તુ છે જે તમે 1-2-5 અથવા 10 દિવસમાં સમજી શકતા નથી. તે એક લાંબી પ્રક્રિયા છે અને તમે પ્રયાસ કરો છો. તમારી જાતને એક નવી વ્યક્તિ બનાવો અને કોઈ પરફેક્ટ નથી હોતું. ના કોઈ એક સાથે પરિસ્થિતિને મેનેજ કરી શકે. દર વખતે તમને તમારા સવાલોના જવાબો નથી મળતા.”
આલિયાના આટલી મુવી નજીકના દિવસોમાં આવશે
એક વાતચીતમાં આલિયાએ તેની માતૃત્વની સફર વિશે વાત કરી હતી. અભિનેત્રીએ કહ્યું- હું કામની સાથે રાહાને પણ મેનેજ કરું છું. તે મને વસ્તુઓમાંથી પસાર થવાની એનર્જી આપે છે. જીવન દરેક માટે મુશ્કેલ છે. આપણે માત્ર બેસીને ફરિયાદ કરી શકતા નથી. આપણે ઉકેલો શોધવાના છે
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ફિલ્મ ‘જીગરા’માં કામ કરી રહી છે. તેનું દિગ્દર્શન વસન બાલા કરવાના છે. આ ફિલ્મ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં રિલીઝ થશે. આ સિવાય ફિલ્મમેકર સંજય લીલા ભણસાલીએ આલિયા ભટ્ટની બીજી આગામી ફિલ્મની જાહેરાત કરી છે, જેનું નામ છે ‘લવ એન્ડ વોર’.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech