અયોઘ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહામાં અનેક બોલિવૂડ સિતારાઓએ હાજરી આપી, પરંતુ અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ આ કાર્યક્રમમાં શામિલ થઇ શક્યા નહીં. એક્ટરે એક વિડીયો શેર કરીને સંદેશો આપ્યો છે. બન્ને સ્ટાર્સને આમંત્રણ મળ્યું હતું પરંતુ બન્ને અભિનેતા શુટિંગ માં વ્યસ્ત હોવાથી હાજરી આપી શક્યા નથી.
આજે પૂરો દેશ રામ નામમાં ડૂબેલો છે. દેશના ફેમસ ચહેરાઓ અયોધ્યામાં ભગવાન રામના દર્શન પામવા માટે પહોંચ્યા હતા. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં બોલિવૂડ સિતારાઓએ પણ હાજરી આપી છે. આલિયા ભટ્ટ, કૈટરીના કૈફથી લઇને રણબીર કપૂર, રોહિત શેટ્ટી જેવા અનેક સિતારાઓએ હાજરી આપી છે. અમિતાભ બચ્ચન, રજનીકાંતથી લઇને બીજા અનેક લોકોએ પણ હાજરી આપી. સિતારાઓની આ મહેફિલમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ હાજરી આપી શક્યા નથી. ગેસ્ટ લિસ્ટમાં બન્નેનું નામ શામિલ હતુ. આ બન્નેએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિડીયો શેર કરીને ફેન્સને સંદેશો પાઠવ્યો છે.
આ કારણે અક્ષય કુમાર ના આપી શક્યા હાજરી
અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે એક કોલોબ્રેશન પોસ્ટ શેર કરી છે. આ વિડીયો પોસ્ટના કેપ્શનમાં એક્ટર્સે લખ્યુ છે કે શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાના પાવન દિવસ પર તમને બધાને શુભકામનાઓ. જય શ્રી રામ. જો કે હવે આ સવાલ થાય છે કે અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફે આ કાર્યક્રમમાં કેમ હાજરી આપી નથી. આમ, બન્ને સ્ટાર્સ એમની અપકમિંગ ફિલ્મોમાં વ્યસ્ત છે. બન્ને સ્ટાર્સની ફિલ્મ બડે મિયાં છોટે મિયાં અંતિમ ચરણમાં છે અને ફિલ્મની રિલીઝ ડેટ પણ આવી ગઇ છે. એવામાં એક્ટર્સ પ્રમોશનમાં વ્યસ્ત છે.
અક્ષય કુમાર વિડીયોમાં કહે છે કે હું અક્ષય કુમાર અને મારી સાથે મિત્ર ટાઇગર શ્રોફ, અમારા બન્ને તરફથી તમને બધાને જય શ્રી રામ. આજે પૂરી દુનિયામાં રામ ભક્તો માટે સૌથી મોટો દિવસ છે. ઘણાં વર્ષોની રાહ જોયા પછી એવો દિવસ આવ્યો છે કે રામલલા એમના ઘરે અયોધ્યામાં પોતાના ભવ્ય મંદિરમાં આવી રહ્યા છે. આગળ અક્ષય કુમાર કહે છે કે અમારા બન્ને તરફથી તમને અને તમારા પરિવારને આ પાવન દિવસની ખૂબ-ખૂબ શુભકામનાઓ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech