એર ઈન્ડિયાનું વિમાન સુરક્ષિત રીતે લેન્ડિંગ, હાઈડ્રોલિક સિસ્ટમમાં ખામી સર્જાઈ, 140 મુસાફરો સુરક્ષિત

  • October 11, 2024 10:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કેરળના ત્રિચીમાં ટેકનિકલ ખામી સર્જાતા એર ઈન્ડિયાનું વિમાન બે કલાક સુધી એરપોર્ટની આસપાસ ચક્કર લગાવતું રહ્યું. આખરે ઘણા પ્રયત્નો બાદ તેને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યો હતો. આ પહેલા પ્લેન ટેકઓફ કરતાની સાથે જ ટેક્નિકલ પ્રોબ્લેમનો સામનો કરવો પડ્યો હતો, જે બાદ તેને પાછું લેન્ડ કરવામાં સમસ્યા આવી હતી. જાણો શું છે સમગ્ર મામલો.


ત્રિચીથી શારજાહ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટનું ત્રિચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. અગાઉ, ટેકઓફ થયા બાદ વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા તે બે કલાક સુધી એરપોર્ટની આસપાસ ચક્કર લગાવતું રહ્યું હતું.



મળતી માહિતી મુજબ પ્લેનમાં હાઈડ્રોલિક સંબંધિત ખામી સર્જાઈ હતી. સાવચેતીના પગલારૂપે એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગની તૈયારીઓ પહેલાથી જ કરવામાં આવી હતી. એરપોર્ટ પર એમ્બ્યુલન્સ અને ફાયર ટેન્ડર પણ તૈનાત કરવામાં આવ્યા હતા. વિમાનમાં લગભગ 142 મુસાફરો સવાર હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application