સિવિલ હોસ્પિટલમાં 160 મું અંગદાન થયું. અત્યાર સુધી સિવિલ હોસ્પિટલમાં મુસ્લિમ સમાજમાંથી થયેલુ આ ત્રીજું અંગદાન છે. સરકાર તેમજ તમામ સમાજ સમુદાયોનાં આગેવાનોનાં પ્રયાસોથી સમાજના તમામ વર્ગોમાં અંગદાન અંગે જાગૃતતા વધી છે. ગુપ્તદાન રુપે થયેલ ૧૬૦ માં અંગદાનથી બે કીડની અને એક લીવરનું દાન મળ્યું.
અંગદાનની પ્રાર્થના દરમિયાન અદભુત નજારો
અંગદાનની પ્રાર્થના દરમિયાન અદભુત નજારો જોવા મળ્યો હતો. એક તરફ ડોક્ટરોની ટીમ પ્રેયર માટે હાથ જોડી રહી હતી ત્યારે બીજી તરફ મુસ્લિમ બિરાદરના ફેમિલી મેમ્બર્સ કલમા પઢી રહ્યા હતા.
ગુપ્તદાનરુપે થયેલ આ અંગદાનની વિગતવાર વાત કરીએ તો અમદાવાદ નજીક રહેતા 50 વર્ષીય મુસ્લિમ વયસ્કને અકસ્માતમાં માથાના ભાગે ઇજા થતાં સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ સારવાર દરમિયાન દર્દી બ્રેઇન ડેડ હોવાનું લાગતા તેમના પરિવારજનોને અંગદાન વિશે સમજાવ્યા હતા. દર્દીના પરિવારજનોને સર્વ સંમતિથી અંગદાનની સંમતિ આપતા તારીખ 9.8.2024 ના રોજ તેમના અંગોનું દાન લેવામાં આવ્યું. જેમાંથી પ્રાપ્ત થયેલ બે કિડની તેમજ એક લીવર સિવિલ કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલના જરૂરીયાત મંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે તેમ સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રાકેશ જોષી એ જણાવ્યું હતું.
આ અંગદાન સાથે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ ૧૬૦ અંગદાતાઓ થકી કુલ 517અંગોનું દાન મળ્યું છે જેના થકી ૫૦૧ વ્યક્તિઓને નવું જીવન બક્ષવા માં સહભાગી થઈ શક્યા છીએ. ડોક્ટર જોશી એ જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી થયેલા કુલ 160અંગ દાતાઓમા મુસ્લિમ સમુદાયમાંથી થયેલ આ ત્રીજું અંગદાન છે.
અંગદાન અને તેનું મહત્વ હવે સમાજના તમામ વર્ગો ધર્મ અને દરેક તબકા ના લોકો સમજતા થયા છે. જેના કારણે તમામ સમુદાયમાં અંગદાનની સમજણ સર્વસ્વીકૃત બની રહી છે. તેમ ડો. રાકેશ જોશી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ, સિવિલ હોસ્પિટલ અમદાવાદે ઉમેર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech