નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે અહલ્યાબાઇ હોલકર

  • May 30, 2025 03:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પુણ્યશ્ર્લોક અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતી નિમિતે પ્રબુદ્ધ સંમેલન યોજાયુ હતુ. જેમાં વિશાળ સંખ્યામાં અગ્રણીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
પુણ્યશ્ર્લોક અહલ્યાબાઈ હોલકરની ૩૦૦મી જન્મજયંતી નિમિતે પોરબંદર સત્યનારાયણ મંદિર ખાતે પ્રબુદ્ધ સંમેલન રાખવામાં આવેલ જેમાં પ્રદેશ વક્તા અને રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનીષભાઈ રાડીયા એ માર્ગદર્શન આપ્યું હતું આ જન્મજયંતી કાર્યક્રમ નિમિતે પોરબંદર શહેરના પ્રબુદ્ધ લોકો સમક્ષ પુણ્યશ્ર્લોક અહલ્યાબાઈ હોલકરના જીવન વિશેની વિસ્તૃત માહિતી એકદમ સરળ અને આકર્ષક રજૂઆતથી મુકવામાં આવી અને તેમને જણાવ્યું કે નારીશક્તિનું ઉત્તમ ઉદાહરણ તેમજ ઉત્તમ શાસક કેવા હોય તે વિશે વિશદ રીતે માહિતી આપવામાં આવી અને આજના સમયમાં પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની પ્રાસંગિકતા તથા નારીશશક્તિકરણ થી દેશને કેવી રીતે સક્ષમ અને વિકસિત રાષ્ટ્ર તરફ લઇ જઈ શકાય તે માટેના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ દ્વારા જે નારીસશક્તિકરણના ઉતમ ઉદાહરણ તરીકે અને અનુકરણીય પાત્ર એટલે પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકર છે તેવું તેમને આ કાર્યક્રમમાં જણાવ્યું હતું તેમને વિશેષમાં જણાવ્યું કે છેવાડાના મનુષ્ય માં ઉથાન માટે તેઓ સતત પ્રયત્નશીલ હતા અને સમગ્ર દેશના ધાર્મિક સ્થાનો અને દ્વાદશ જ્યોતિલિંગના જીર્ણોધાર માટે પોતાનું જીવન તેમને સમર્પિત કરી દીધું હતું અને જીવનના અંતિમ શ્ર્વાસ સુધી રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિ માટે એક ઉત્તમ સ્ત્રી શાશક તરીકે કાર્ય કરતા રહ્યા આ ભારતના ઈતિહાસનું એક ઉતમ અને અદ્ભુત નારીશક્તિનું પ્રકટીકરણ હતું. આમ ખુબ વિસ્તૃત અને ઉત્તમ રીતે વક્તા  મનીષભાઈ રાડીયા દ્વારા સમગ્ર પુણ્યશ્લોક અહલ્યાબાઈ હોલકરની જીવન વિશે માહિતીઓ પોરબંદરના પ્રબુદ્ધ નાગરિકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા ભાજપ પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પૂર્વ જિલ્લા પ્રમુખ રાજશીભાઇ પરમાર, પોરબંદર શહેર મહામંત્રીઓ નિલેશભાઈ બાપોદરા અને નરેન્દ્રભાઈ કાણકિયા, પોરબંદર તાલુકા પ્રમુખ રાણાભાઇ મોઢવાડિયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ નું સંચાલન સીનીયર આગેવાન કેતનભાઇ દાણી એ કરેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શહેર ઉપપ્રમુખ વિજયભાઈ વડુકર, જીલ્લા મહિલા મોરચાના પ્રમુખ મીતાબેન થાનકી તેમજ તેમની ટીમ, ધર્મેશભાઈ પરમાર, સુરેશભાઈ સીકોત્રા, રાજભાઈ જોશી, હિતભાઈ જોશી, કાવ્યભાઈ જોશી, વૈભવભાઈ થાનકી, નીતિનભાઈ લોઢારી, પાર્થભાઈ રાઠોડ અને બધાજ કાર્યકર્તાઓની મહેનત સફળ રહી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News