પોરબંદર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોને કૃષિ વિષયક લાભ અપાયા

  • September 05, 2024 03:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોને કૃષિ વિષયક લાભ અપાવ્યા છે. રાણાવાવના ભોદ ગામના ખેડુતે સબસીડીનો લાભ લઇ ટ્રેક્ટર ખરીદયુ છે. 
ગુજરાત સરકાર દ્વારા ખેડુતોની આવક બમણી કરવા માટે અવનવી ખેડુતલક્ષી યોજનાઓ બહાર પાડવામાં આવે છે. ખેડુતો ખેતીમાં સારી રીતે અને ઝડપી ખેડ કરી શકે તે માટે પરંપરાગત સાધનો કે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. ઘણા ખેડુતો નબળી આર્થિક સ્થિતિને કારણે ટેકનોલોજીના સાધનોની ખરીદી કરી શકતા નથી. આવા જરૂરીયાતમંદ ખેડુતો માટે ટ્રેક્ટરની ખરીદી પર સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. પોરબંદર જિલ્લા પંચાયત, જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડુતોને ઉપયોગી વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને મળી રહ્યો છે.ટ્રેક્ટરની ખરીદી પર સબસીડી મળતા થયેલા લાભ અંગે રાણાવાવ તાલુકાના ભોદ ગામના એક લાભાર્થી ખેડુતે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.રાણાવાવ તાલુકાના ભોદ ગામના લાભાર્થી ખેડુત લાલજીભાઈ ગોરધનભાઈ ગોરીયાએ જણાવ્યું હતું કે ખેતીવાડી શાખામાં મે ટ્રેક્ટરની અરજી કરી હતી. એ અરજી પાસ થતા ટ્રેક્ટર ખરીદ્યું હતુ, મને ૪પ,૦૦૦ ‚પિયા સબસીડી પેટે મળી ગયા હતા. પહેલા ખેતી માટે ટ્રેક્ટર ભાડે કરતા જેને કારણે ખર્ચ વધી જતો હવે મારે ઘરનું ટ્રેક્ટર છે એટલે પૈસાની બચત થાય છે અને પ્રોફિટ વધારે મળે છે એ બદલ ગુજરાત સરકાર, ખેતીવાડી શાખા અને ગ્રામસેવકનો હું દિલથી આભાર માનું છું.તેમ જણાવ્યું હતુ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application