ભારત અને ચીન પરસ્પર સંબંધોને મજબૂત બનાવી રહ્યા છે. એલએસી પર પેટ્રોલિંગ સમજૂતી બાદ બંને દેશો કૈલાશ માનસરોવર યાત્રા ફરી શ કરવા સંમત થયા છે. રાષ્ટ્ર્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની ચીન મુલાકાત દરમિયાન આ સમજૂતી થઈ હતી. અજિત ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ યી વચ્ચેની બેઠકમાં બંને દેશો વચ્ચેના સંબંધોને વધારવા માટે ૬ મુદ્દાઓ પર સહમતિ બની હતી. ભારતે ચીન સાથે સરહદ વિવાદના ન્યાયી ઉકેલ માટે આગ્રહ કર્યેા હતો.
અજિત ડોભાલ અને વાંગ યીએ કૈલાશ માનસરોવર યાત્રા ફરી શ કરવા, નદી સંબંધિત ડેટાની વહેંચણી અને સીમા પાર સહકાર માટે સકારાત્મક દિશા પર ધ્યાન કેન્દ્રિત કરીને વાતચીત કરી. જો કે, ૨૩મી સ્પેશિયલ રિપ્રેઝન્ટેટિવ (એસઆર) સ્તરની વાટાઘાટો અંગેના ભારતના નિવેદનમાં મંત્રણાના અંતે ચીની પક્ષના નિવેદનમાં છ મુદ્દાની સર્વસંમતિનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
બંને પક્ષોએ જમીની સ્તરે શાંતિપૂર્ણ સ્થિતિ સુનિશ્ચિત કરવાની જરિયાત પર ભાર મૂકયો હતો, જેથી સરહદી મુદ્દાઓ દ્રિપક્ષીય સંબંધોના સામાન્ય વિકાસમાં અવરોધ ન આવે, એમ વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું. મંત્રાલયે કહ્યું કે ડોભાલ અને વાંગ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે સ્થિર અને સૌહાર્દપૂર્ણ ભારત–ચીન સંબંધોના મહત્વ પર સહમત થયા.
૨૩ ઓકટોબરે કઝાનમાં વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્ર્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠકમાં વિશેષ પ્રતિનિધિ સંવાદ મિકેનિઝમને ફરી શ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આના બે દિવસ પહેલા ભારત અને ચીને પૂર્વી લદ્દાખના ડેમચોક અને ડેપસાંગમાં સેનાની હકાલપટ્ટી માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા.
એસઆરએ એકંદરે દ્રિપક્ષીય સંબંધોના રાજકીય પરિપ્રેયને જાળવી રાખવાના મહત્વનો પુનરોચ્ચાર કર્યેા, યારે સરહદ મુદ્દાના નિરાકરણ માટે વાજબી અને પરસ્પર સ્વીકાર્ય માળખું શોધ્યું અને પ્રક્રિયામાં વધુ ગતિશીલતા લાવવાનો સંકલ્પ કર્યેા. એસઆર મંત્રણા પાંચ વર્ષના અંતરાલ પછી થઈ હતી. એસઆર મંત્રણાનો અગાઉનો રાઉન્ડ ડિસેમ્બર ૨૦૧૯માં નવી દિલ્હીમાં યોજાયો હતો. વાટાઘાટો માટે ભારતના વિશેષ પ્રતિનિધિ એનએસએ ડોભાલ છે, યારે ચીની પક્ષનું નેતૃત્વ વિદેશ પ્રધાન વાંગ કરી રહ્યા છે.
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ડોભાલ અને વાંગે ઓકટોબરના પાછળ હટવાના કરારના અમલીકરણની સકારાત્મક પુષ્ટ્રિ કરી હતી, જેના પરિણામે સંબંધિત વિસ્તારોમાં પેટ્રોલિંગ પ્રવૃત્તિઓ ફરી શ થઈ છે.
ચીનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ડોભાલ અને વાંગ યીએ વિશેષ પ્રતિનિધિ વાટાઘાટો દરમિયાન ફળદાયી ચર્ચા કરી હતી અને સરહદો પર શાંતિ અને સુલેહ–શાંતિ જાળવવા અને સંબંધોના સ્વસ્થ અને સ્થિર વિકાસને પ્રોત્સાહન આપવા સહિત છ મુદ્દાની સર્વસંમતિ પર પહોંચી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો સીમાપાર આદાનપ્રદાન અને સહયોગને મજબૂત કરવા અને તિબેટ, ચીનમાં ભારતીય તીર્થયાત્રાને પુન:પ્રારભં કરવા, સરહદ પાર નદી સહકાર અને નાથુલા સરહદ વેપારને પ્રોત્સાહન આપવા સંમત થયા છે.
મંત્રણા બાદ ડોભાલે ચીનના ઉપરાષ્ટ્ર્રપતિ હાન ઝેંગ સાથે મુલાકાત કરી હતી. ડોભાલે વાંગને વિશેષ પ્રતિનિધિઓની આગામી રાઉન્ડની બેઠક માટે પરસ્પર અનુકૂળ તારીખે ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું. પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર લશ્કરી ગતિરોધ મે ૨૦૨૦ માં શ થયો હતો અને તે જ વર્ષે જૂનમાં ગલવાન ખીણમાં ઘાતક અથડામણ થઈ હતી, જેના પરિણામે બંને પડોશીઓ વચ્ચેના સંબંધોમાં ગંભીર તણાવ થયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationVideo: પહલગામ આતંકવાદી હુમલાના ભોગ બનેલા લોકોના પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા
April 23, 2025 10:23 PMરાજકોટ SOGની મોટી કાર્યવાહી, 12.89 લાખનું MD ડ્રગ્સ સાથે રાણાવાવનો મુસ્તાક ઝડપાયો
April 23, 2025 09:11 PMગુજરાત મહેસુલ પંચમાં IAS કમલ શાહની નિવૃત્તિ બાદ નિમણૂક, 3 વર્ષનો કાર્યકાળ
April 23, 2025 08:53 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech