બાળકને ઇજા : નાઘેડી પાટીયે ઇકોએ રીક્ષાને હડફેટે લેતા બે ઘાયલ
જામનગર નજીક બેડેશ્ર્વર વિસ્તારમાં ત્રણ દિવસ પહેલા ટાટા ડમ્પરના ચાલકે એકસેસને ઠોકર મારતા આઘેડનું મૃત્યુ થયુ હતું જયારે બાળકને ઇજા પહોચી હતી, તેમજ નાઘેડી પાટીયા પાસે ઇકો કારે રીક્ષાને ઠોકર મારતા બે વ્યકિતને ઇજા થઇ હતી.
બેડેશ્ર્વર વિસ્તારના માધાપર ભુંગા બેડીપોર્ટ કોલોની આગળ રહેતા અને માછીમારીનો ધંધો કરતા નવસાર આમદભાઇ સુરાણી (ઉ.વ.૨૪) નામના યુવાને ગઇકાલે સીટી-બી પોલીસમાં ટાટા ડમ્પર નં. જીજે૩૭ટી-૨૫૪૫ના ચાલક સામે ફરીયાદ કરી હતી.
વિગત અનુસાર ગત તા. ૨૮ના રોજ ફરીયાદીના પિતા આમદભાઇ તથા ભાણેજ મોયુદીન (ઉ.વ.૪) પોતાની એકસેસ બાઇક નં. જીજે૧૦ડીડી-૦૦૫૮ લઇને બેન્કથી પૈસા ઉપાડી પરત આવતા હતા ત્યારે બેડેશ્ર્વર બાલ્કની પાનની સામેના રોડ પર પહોંચતા ઉપરોકત નંબરના ટાટા ડમ્પરના ચાલકે પુરઝડપે, બેદરકારી માણસોની જીંદગી જોખમાય એ રીતે ચલાવીને એકસેસ બાઇકને પાછળથી ઠોકર મારી હતી.
અકસ્માતમાં ફરીયાદીના પિતા અને ભાણેજને નીચે પછાડી દીધા હતા જેમાં ભાણેજને કપાળ, નાક અને હોઠના ભાગે ઇજા થઇ હતી, જયારે ફરીયાદીના પિતા આમદભાઇને ડમ્પરનું સાઇડનું ટાયર પગના ભાગે સાથળ સુધી ચડાવી દઇ ગંભીર ઇજા પહોચાડતા સારવાર દરમ્યાન ફરીયાદીના પિતાનું મૃત્યુ નિપજયુ હતું ફરીયાદના આધારે પોલીસ દ્વારા ડમ્પર ચાલકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
બીજા બનાવમાં જામનગરના કીશાનચોક નજીક ગેબનશાહ કોલોનીમાં રહેતા દિલાવર ઇસ્માઇલભાઇ બ્લોચ (ઉ.વ.૨૩) નામના યુવાને ઇકો કાર નં. જીજે૨૫જે-૪૦૭૧ના ચાલક સામે એવી ફરીયાદ કરી હતી કે નાઘેડી પાટીયા નજીકના રોડ પર ઇકો ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સાહેદની રીક્ષાને ટકકર મારી પલ્ટી ખવડાવી દેતા ફરીયાદી તથા સાહેદને શરીરે ઇજા પહોચાડી નાશી છુટયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech