દહેજ મુદ્દે હત્યા કે ઉત્પીડનનો કેસ નોંધવા માટે કાયદેસરના લગ કયર્િ હોવા જરૂરી નથી, લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા વ્યક્તિ સામે પણ દહેજ સંબંધી કેસ થઈ શકે છે. આ માટે માત્ર કપલ્સનું પતિ-પત્નીની જેમ જીવવું પુરતું છે તેવી ટકોર અલાહાબાદ હાઈકોર્ટએ એક ચુકાદો આપતી વેળાએ કરી છે. હાઈકોર્ટે કહ્યું હતું કે, પતિ-પત્નીની જેમ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો પર દહેજ હત્યા અને દહેજ ઉત્પીડનનો કેસ નોંધાઈ શકે છે.
એક કેસમાં પોતાનો ચુકાદો આપતાં અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે,દંપતીએ ભલે કાયદેસર લગ્ન ન કયર્િ હોય પરંતુ પતિ-પત્નીની જેમ જ લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા લોકો પર દહેજ હત્યા અને દહેજ ઉત્પીડનનો કેસ નોંધી શકે છે.આ આદેશ જસ્ટિસ રાજબીર સિંહે આદર્શ યાદવની અરજી ફગાવતા આપ્યો હતો. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં અરજદાર વિરુદ્ધ દહેજ હત્યા અને દહેજ ઉત્પીડનના આરોપમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે લગ્ન માટે દહેજની માંગણીથી કંટાળીને પીડિતાએ આત્મહત્યા કરી હતી. પોલીસે દહેજ હત્યાના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
સગાં-સંબંધીઓને પણ આ મુદો લાગુ પડી શકે
કોર્ટે કહ્યું કે માત્ર પતિ જ નહીં પરંતુ તેના સંબંધીઓ પર પણ દહેજ હત્યા માટેનો આરોપ લગાવી શકાય છે, ભલે એવું માની લેવામાં આવે કે મૃતક કાયદેસર રીતે પત્ની નથી. એવા પુરાવા છે કે તેઓ પતિ-પત્નીની જેમ એક સાથે રહેતા હતા, તેથી આ કેસમાં દહેજ હત્યાની જોગવાઈઓ લાગુ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદના મયાપુર નજીક સરકારી દવાઓનો જથ્થો રઝળતો મળ્યો
February 24, 2025 10:38 AMજુઓ રમણીય ફોદાળા ડેમ સાઇટને વિકસાવવા માટે પોરબંદરની કોલેજીયન યુવતીઓએ શું કહ્યું
February 24, 2025 10:38 AMપોરબંદરમાં શિવતાંડવ નું ગુજરાતીમાં થયું સર્જન
February 24, 2025 10:37 AMસોમનાથમાં મહાશિવરાત્રીએ પ્રાર્થના, પૂજા, પુણ્ય–પ્રસાદનું આયોજન
February 24, 2025 10:36 AMઓપન પોરબંદર સી સ્વિમિંગ કોમ્પિટિશન યોજાઇ
February 24, 2025 10:35 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech