ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે ચાલી રહેલી ગોબાચારી ઉજાગર કરતો બનાવ તાજેતરમા બહાર આવયો હતો પરિણામે રાય સરકાર સરકાર દવારા વિવિધ તબકકાની ખાતરી બાદ જ મંજુરી આપવામા આવી રહી છે જેની સીધી અસર દૈનિક તબીબી સુવિધા લેનાર લોકોની સંખ્યામાં લગભગ ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
ગત મે મહિનાથી ઓકટોબર મહિના સુધી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પીએમજેએવાય યોજના હેઠળ દરરોજના ૩૮૦૦ જેટલા દાવાઓ દાખલ થતા હતા પરંતુ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ના બનાવના પગલે આ દાવાઓની સંખ્યામાં ૩૦ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે દૈનિક આ દાવાની સંખ્યા ૨૭૦૦ થઈ ગઈ છે એટલે કે પીએએએવાર યોજના હેઠળ લાભ લેનાર લોકોની સંખ્યામાં ૩૦ ટકાનો ઘટાડો નોંધાયો છે. જોકે આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ નો પ્રતિભાવ મુજબ આ મામલે હોસ્પિટલો પર કોઈપણ પ્રકારના દબાણ નથી અને આવતા દિવસોમાં કડક એસઓપી તૈયાર કરવામાં આવશે
અહીં નોંધવું જરી છે કે ખ્યાતી કાંડ બાદ રાય આરોગ્ય વિભાગ દ્રારા તેમની સાથે સંકળાયેલ ડોકટરોને વિવિધ પ્રકારની મંજૂરી લેવા માટે અગાઉ માત્ર ૪૦ થી ૪૫ મિનિટનો સમય લાગતો હતો તેમાં ત્રણ ગણો વધારો થયો છે. એન્જીયોપ્લાસ્ટીની હવે મંજૂરી પહેલાં બ્લડ રિપોટર્સ અને ટીએમટી જેવા પરીક્ષણ પરિણામોની જર છે. અન્ય તમામ દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ અને પીએમજેએવાય કાર્ડ નંબર સાથે મેડિકલ રેકોર્ડ અને હોસ્પિટલની વિગતો હોય તો અગાઉની મંજૂરીઓ ૪૫ મિનિટમાં આવી જતો. હવે લાગતો સમય બેથી ત્રણ ગણો વધી ગયો છે. વધુ પડતી સાવધાનીના પરિણામ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓને સારવાર મળવામાં વિલબં થઈ રહ્યો છે. જોકે જે હોસ્પિટલ નો ટ્રેક રેકોર્ડ ખૂબ સારો છે તે હોસ્પિટલોને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી.
ખ્યાતી હોસ્પિટલ ના વિવાદ પછી, રાય સરકારે ગેરરીતિને કાબૂમાં લેવાના માર્ગ તરીકે સૌથી વધુ ઇચ્છિત તબીબી પ્રક્રિયાઓ માટે નવી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રક્રિયાઓ દાખલ કરવાની જાહેરાત કરીને, કડક નિયંત્રણો મુકવા તૈયાર છે. પાછલા મહિને સમગ્ર ગુજરાત માંથી ૧૨ હોસ્પિટલોને ડી પેન્લાઈઝ કરવામાં આવી હતી.
મેડિકલ ની વિવિધ પ્રક્રિયામાં વિલબં અને દર્દીઓની તબિબ સુવિધામા વિશ્વાસની ખામી બંનેમાં ઘટાડો જોવા મળી શકે છે.પીએમજેએવાય ના કેસ ડ્રોપ એકલા અમદાવાદમા લગભગ ૩૦% જેટલો છે, જે ૨૦૦ કેસની દૈનિક પ્રક્રિયાઓથી છેલ્લા મહિનામાં લગભગ ૧૪૦ સુધી.
તાજેતરમા સુપર–સ્પેશિયાલિટી હોસ્પિટલ અને ડોકટર જૂથોએ એસઓપી સંબંધિત રજૂઆતો કરી છે. સૂત્રો ની વાત માનીએ તો કાર્ડિયોલોજિસ્ટસનું એક જૂથ તાજેતરમાં આરોગ્ય વિભાગના વરિ અધિકારીઓને હોસ્પિટલો અને દર્દીઓ તરફથી યોજનાઓના વધુ સારી રીતે અમલીકરણની ખાતરી કરવા માટે આવશ્યકતાઓ અંગે સ્પષ્ટ્રતા માટે મળ્યા હતા. યારે સરકારી સુવિધાઓમાં દર્દીઓની સંખ્યામાં બહત્પ તફાવત નથી, ત્યારે તેનો ભોગ મુખ્યત્વે નાની ખાનગી હોસ્પિટલો બની રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબી કતલખાને જીવો ભરેલી બોલેરો ગાળા પાસેથી ઝડપાઇ
February 24, 2025 11:44 AMભવનાથમાં પો.સ્ટેશનની સામે સાધુની કારમાંથી ૬૭ હજાર ચોરીજનારા ચાર ઝબ્બે
February 24, 2025 11:43 AMજલારામ પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં રઘુવંશી જ્ઞાતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
February 24, 2025 11:43 AMવેરાવળના બોડાદ ગામના પાટિયા પાસે કારની ઠોકરે પ્રૌઢનું મોત
February 24, 2025 11:40 AMRTE (ફ્રી શિક્ષણ) ના વર્ષ ૨૦૨૫ના ઓનલાઇન ફોર્મ વિનામૂલ્યે ભરવાનું હેલ્પ સેન્ટર
February 24, 2025 11:39 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech