BREAKING NEWS

‘ધૂરંધર’ની અપાર સફળતા પછી રણવીર સિંહ નવા પ્રોજેક્ટમાં વ્યસ્ત

  • May 18, 2026 08:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રણવીર સિંહની ’ધુરંધર’ ફ્રેન્ચાઇઝ બોક્સ ઓફિસ પર સફળ રહી છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત ’ધુરંધર ૨’ એ બોક્સ ઓફિસ પર ૧૮૦૦ કરોડનો આંકડો પાર કરીને રેકોર્ડ બનાવ્યો છે. આ ફિલ્મની સફળતા બાદ, બધાની નજર રણવીર સિંહના આગામી પ્રોજેક્ટ પર છે. ’ધુરંધર’ પછી, રણવીર સિંહનું નામ ઘણી ફિલ્મો સાથે જોડાયું છે. દરમિયાન, સમાચાર સામે આવ્યા છે કે ’ધુરંધર’ ની જંગી સફળતા પછી, રણવીર સિંહે વાય આરએફમાં આદિત્ય ચોપરા સાથે ગુપ્ત મુલાકાત કરી હતી, જેનાથી અટકળો શ‚ થઈ ગઈ છે કે શું બંને ફરીથી સહયોગ કરશે અને શું બોક્સ ઓફિસ પર બીજો મોટો ધમાકો થશે.
રણવીર સિંહ આ સીઝનનો સ્ટાર છે, કારણ કે સુપરસ્ટારે સતત બે હિટ ફિલ્મ આપીને રેકોર્ડ બનાવ્યો છે. આજે, રણવીર સિંહ દરેક નિર્માતા, દિગ્દર્શક અને બ્રાન્ડની યાદીમાં ટોચ પર છે. અને કેમ નહીં? તેણે માત્ર ચાર મહિનામાં પ્રભાવશાળી પરિણામો સાથે પોતાને બોક્સ ઓફિસનો રાજા સાબિત કરી દીધો છે. મોટા ફિલ્મ નિર્માતાઓ તેની સાથે કામ કરવા માંગે છે. એવા સમાચાર છે કે રણવીર સિંહ ત્રણ વર્ષ પછી વાયઆરએફ સાથે જોડાઈ શકે છે,
બંધ બારણે મીટિંગો શ‚ થઈ ગઈ છે.એક અહેવાલ મુજબ, આ મહિનાની શ‚આતમાં આદિત્ય ચોપરા અને રણવીર સિંહ વચ્ચે એક ગુપ્ત મીટિંગ થઈ હતી. એક સૂત્રને ટાંકીને આ જ અહેવાલમાં જણાવાયું છે કે આદિત્ય ચોપરા રણવીર સિંહની સફળતાથી ખૂબ જ ખુશ છે, કારણ કે તેણે તેને લોન્ચ કર્યો હતો અને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં પોતાને સ્થાપિત કરવામાં મદદ કરી હતી. 
બંને તાજેતરમાં ૧૫ મેના રોજ વાયઆરએફ ખાતે મળ્યા હતા અને બંધ બારણે લાંબી વાતચીત કરી હતી. બંનેએ તેમની ભવિષ્યની યોજનાઓથી લઈને સાથે કામ કરવાના તેમના ઇરાદાઓ સુધીની દરેક બાબતની ચર્ચા કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application