ભાડૂઆત પિતાના મૃત્યુ બાદ બંધ દુકાન ખાલી કરવા પુત્રએ ૪ લાખ માગી માલિકને આપી ધમકી

  • September 22, 2023 02:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના સદર બજારમાં બધં દુકાન ખાલી કરવા ભાડૂઆતના પુત્રએ ૪૦ લાખ રૂપિયા માગી જો નાણા નહીં આપો ત્યાં સુધી દુકાન નહીં ખોલવા દઉં કહી ધમકી આપ્યાનો લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ પ્ર.નગર પોલીસમાં ગુનો નોંધાતા પોલીસે આરોપી નીતિન મુકુંદરાય ધ્રુણા રહે.સાંઈનગર સોસાયટી, જગન્નાથ પ્લોટની ધરપકડ કરી હતી.ફરિયાદની વિગતો મુજબ ફરિયાદી વયોવૃધ્ધ સાલેહભાઈ ચૂનાવાલા ઉ.વ.૮૫એ ૪૦ વર્ષ પડેલા ૧૯૮૩માં અમુભાઈ જુણેજા પાસેથી સદરબજારમાં ફાતીમા મંજીલ નામનું મકાન આગળ–પાછળના ભાગે આવેલી બે–બે દુકાનો સાથે ભરેલા કબજે ખરીદ કર્યું હતું. આગળના ભાગની બે દુકાનો પૈકી એક દુકાન જવાહરભાઈએ ૧૫ વર્ષ પહેલા ખાલી કરી દીધી હતી. જયારે એક દુકાનમાં મુકુંદરાય ધ્રુણા પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા હતા. મુકંુદરાયનું સાત, આઠ વર્ષ પહેલા અવસાન થયું હતું. દુકાન વર્ષેાથી બધં પડી હતી. પીજીવીસીએલ દ્રારા ૧૫ વર્ષ પહેલા વીજ કનેકશન પણ કાપી નાખવામાં આવ્યું હતું.
દુકાનનો મુકુંદભાઈ હયાતીમાં ઉપયોગ કરતા ન હતા. તેમના અવસાન બાદ મુકુંદભાઈના પુત્ર નીમિતે દુકાન ખાલી કરવા ૪૦ લાખ રૂપિયાની માગણી કરી હતી. સાથે દુકાન ખોલવા નહીં દઉં કહીં ધમકી આપી હતી. મકાન માલિક નાણા આપવા ઈચ્છતા ન હતા. તેમણે કલેકટર તંત્રમાં લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ ફરિયાદ કરી હતી. લેન્ડગ્રેબિંગ કમિટી દ્રારા કરાયેલા તપાસ, આદેશ બાદ આરોપી નીતિન સામે પ્ર.નગર પોલીસે ગુનો નોંધી ધરપકડ સાથે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application