ભારત બાદ દુનિયાની નજર યુરોપિયન સંસદની બીજી સૌથી મોટી ચૂંટણી પર

  • June 03, 2024 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભારતમાં સામાન્ય ચૂંટણીઓ બાદ હવે સમગ્ર વિશ્વની નજર આગામી સાહે યોજાનારી યુરોપિયન યુનિયનની ચૂંટણી પર છે. યુરોપિયન યુનિયનના ૩૭૦ મિલિયન મતદારો આગામી યુરોપિયન સંસદના ૭૨૦ સભ્યોને ચૂંટવા માટે ૬ થી ૯ જૂન સુધી મતદાન કરશે. આ તમામ સાંસદો આગામી પાંચ વર્ષ માટે યુરોપ માટે બનાવવામાં આવનારી નીતિઓ નક્કી કરશે. યુરોપની આ સંસદમાં તમામ ૨૭ દેશોમાંથી સાંસદો તેમની વસ્તી પ્રમાણે ચૂંટાય છે. જેમ જેમ વસ્તી વધે છે તેમ તેમ સાંસદોની સંખ્યા પણ વધે છે. ૨૦૧૯ની ચૂંટણીમાં ૭૦૫ સભ્યો ચૂંટાયા હતા, યારે ૨૦૨૪માં તેમની સંખ્યા વધીને ૭૨૦ થઈ ગઈ છે. સૌથી વધુ વસ્તી ધરાવતું જર્મની ૯૬ સાંસદો મોકલે છે, પોર્ટુગલ ૨૧ મોકલે છે, યારે સાયપ્રસ જેવો નાનો દેશ યુરોપિયન સંસદમાં માત્ર એક જ સાંસદ મોકલશે.



એવું માનવામાં આવે છે કે યુરોપના મતદારો મુખ્યત્વે યુક્રેન યુદ્ધની ભયાનકતા અને પરિણામે વધતી જતી મોંઘવારી, ચીનનો ઉદય, સ્થળાંતર કરનારાઓની ઝડપથી વધી રહેલી સંખ્યા અને હવામાન પરિવર્તન જેવા મુખ્ય મુદ્દાઓ પર મતદાન કરશે. પરંતુ સૌથી મોટો પડકાર યુરોપિયન સંસદમાં ૨૭ દેશોના રાજકીય પક્ષો દ્રારા મોકલવામાં આવેલા પ્રતિનિધિઓનું રાજકીય પ્રતિનિધિત્વ અને ઝોક છે. આ માટે, તમામ દેશોની સંસદો ડાબેરી, સમાજવાદી, કેન્દ્રવાદી અથવા જમણેરી જેવા તેમના રાજકીય વલણના આધારે ગ્રુપ બનાવે છે. ચૂંટણી પહેલાના તમામ સર્વે મુજબ આ ચૂંટણીમાં મધ્યમ–જમણેરીને બદલે જમણેરી સાંસદોની સંખ્યા વધશે.



મોટાભાગના ઈયુ દેશોમાં ૯ જૂને ચૂંટણી યોજાશે, પરંતુ નેધરલેન્ડસમાં ૬ જૂન, આયર્લેન્ડ અને ચેક રિપબ્લિકમાં ૭ જૂને અને માલ્ટા, સ્લોવાકિયા અને લાતવિયામાં ૮ જૂને ચૂંટણી યોજાશે.યુરોપિયન સંસદ એ ત્રણ સંસ્થાઓમાંથી એક છે જે યુરોપિયન યુનિયન ચલાવે છે, જે ૨૭ દેશોના આ બ્લોકનું સંચાલન કરે છે. ઈયુ સરકારો સાથે મળીને, તે યુરોપિયન કમિશન દ્રારા પ્રસ્તાવિત કાયદાઓ પર નિર્ણય લે છે. તેની નીતિઓ આશરે ૪૫૦ મિલિયન લોકોના ઈયુ બજારને નિયંત્રિત કરે છે. દેખીતી રીતે તેની પાસે યુરોપિયન કમિશન અથવા સભ્ય દેશોની રાષ્ટ્ર્રીય સરકારો જેટલી સત્તા નથી. પરંતુ તે કાયદાને નકારી અથવા નોંધપાત્ર રીતે સુધારી શકે છે અને, એકમાત્ર સીધી રીતે ચૂંટાયેલી ઈયુ સંસ્થા તરીકે, તેના ઘોષણાઓ રાજકીય પ્રભાવ ધરાવે છે.


સર્વેક્ષણો દર્શાવે છે કે વર્તમાન સંસદમાં મુખ્ય જૂથો જેમ કે કેન્દ્ર–જમણેરી, મધ્ય–ડાબેરી, ગ્રીન્સ અને ઉદારવાદીઓને વર્તમાન કરતાં ઓછી બહત્પમતી મળશે, યારે દૂર–જમણેરી જૂથોને ફાયદો થશે. સર્વેક્ષણો અનુસાર, ૭૨૦ સભ્યોના ગૃહમાં કેન્દ્રવાદી જૂથની બેઠકો ઘટશે, યારે લોકપ્રિય જમણેરી આઇડેન્ટિટી એન્ડ ડેમોક્રેસી (આઈડી) જૂથ અને યુરોપિયન કન્ઝર્વેટિવ્સ એન્ડ રિફોર્મિસ્ટસ (ઈસીઆર) સાંસદોમાં વધારો થઈ શકે છે. પરંતુ તે ૩૬૧ની બહત્પમતી મેળવવામાં સફળ થશે કે કેમ તે જોવું રહ્યું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application