ખાંડના બદલે સેકરીન ભેળવાતું, હવે સેકરીન બદલે અસ્પાર્ટમની ભેળસેળ થતી ઝડપાઇ

  • September 27, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટમાં હવે ખાધ પદાર્થેામાં સેકરીનના બદલે હલકી કક્ષાના આર્ટિફિશયલ સ્વીટનર ભેળવવામાં આવતા હોવાનું સામે આવ્યું છે.
વિશેષમાં સિનિયર ડેઝીેટેડ ફડ ઓફિસરએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાના ફડ વિભાગ દ્રારા આબાદ ગૃહ ઉધોગ, દિનદયાલ ઇન્ડ એરિયા, શેરી નં.૮, માંડા ડુંગર, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાધચીજ સેકરીન (લુઝ)નો નમૂનો લઇ તપાસ બાદ પૃથ્થકરણ રિપોર્ટમાં આર્ટિફિશિયલ સ્વીટનર તરીકે સેકરીનને બદલે અસ્પાર્ટમ મળી આવતા નમૂનો સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
તેમણે ઉમેયુ હતું કે ફડ વિભાગની ટીમ દ્રારા સર્વેલન્સ ચેકિંગ દરમિયાન નંદનવન રોડ, પુનિત તથા ભગતસિંહ ગાર્ડન સામે વિસ્તારમાં આવેલ ખાધચીજોનું વેચાણ કરતાં કુલ ૩૭ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૧૦ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપી અવેરનેસ ડ્રાઇવ કરવામાં આવેલ. તેમજ ખાધ્યચીજોના કુલ ૩૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરમાં વિવિધ સ્થળોએ આવેલી ડેરી ફાર્મની પાંચ દુકાનોમાંથી દૂધના સેમ્પલ લેવામાં આવ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application