વિખ્યાત ઉધોગપતિ ગૌતમ અદાણીના પગલાં ઘણી વખત ચોંકાવે છે. પરંતુ તેના મોટા ઈરાદાઓ વિશે જાણીને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વખતે પણ ગૌતમ અદાણી આવું જ કંઈક કરવા જઈ રહ્યા છે. આનો વિચાર ભારતીય આર્થિક જગતને આશ્ચર્યમાં મૂકી રહ્યો છે. અદાણી એનર્જી, ટ્રાન્સપોર્ટ અને ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં મોટી છલાંગ લગાવવા જઈ રહી છે. તેઓ આ ક્ષેત્રના વિસ્તરણમાં ઓછામાં ઓછા બે અબજ ડોલરનું રોકાણ કરવા જઈ રહ્યા છે.
તે અદાણી વિલ્મર ગ્રૂપમાં પોતાનો સંપૂર્ણ હિસ્સો વેચીને આ રકમ એકત્ર કરશે. અદાણી વિલ્મર ગ્રુપ ખાધતેલના ઉત્પાદન માટે પ્રખ્યાત છે. ખાસ કરીને તેની ફોચ્ર્યુન બ્રાન્ડ સરસવનું તેલ, સોયાબીન તેલ અને સૂર્યમુખી તેલ ભારતીય ઘરોના રસોડામાં ખૂબ જ પસદં કરવામાં આવે છે.
અદાણી તેના ૪૪ ટકા શેર વેચીને વિલ્મર ગ્રૂપ સાથેની તેની સંયુકત સાહસ કંપનીમાંથી સંપૂર્ણપણે બહાર નીકળી જશે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ એટલે કે એઈએલએ ૩૦ ડિસેમ્બરે આની જાહેરાત કરી છે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ બે ભાગમાં તેનો હિસ્સો વેચશે. ૧૩ ટકા શેર શેરબજાર દ્રારા જાહેરમાં વેચવામાં આવશે. યારે ૩૧ ટકા શેર સિંગાપોરની વિલ્મર કંપનીને વેચવામાં આવશે. આ સાથે વિલ્મરના શેર ૪૪ ટકાથી વધીને ૮૮ ટકા થઈ જશે. હાલમાં પ્રમોટરો અદાણી–વિલ્મર કંપનીમાં ૮૮ ટકા શેર ધરાવે છે. જેમાંથી ૪૪ ટકા શેર અદાણી ગ્રુપના છે અને ૪૪ ટકા શેર સિંગાપોરની વિલ્મર કંપનીના છે.
અદાણી જેવા ભાગીદારની ખસી જવાથી ભારતમાં વિલ્મર ગ્રુપને મોટો ફટકો પડો છે. હવે તે ભારતમાં અદાણી જેવા અન્ય ભાગીદારની શોધમાં છે. જે તેની ફોચ્ર્યુન બ્રાન્ડને બજારમાં અને લોકોના રસોડામાં પહેલાની જેમ જ મજબૂત રાખવામાં મદદ કરી શકે છે. ગઈકાલે અદાણી વિલ્મરનો શેર ૦.૧૭ ટકા ઘટીને . ૩૨૯.૫૦ પર બધં થયો હતો. કંપનીની બજાર મૂડી ૪૨,૮૨૪ કરોડ પિયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech