- વિદેશી પત્રકાર સાથે બીજા લગ્ન અને બાળકીનો પિતા બન્યાનો કર્યો એકરાર
- વિવયને કહ્યું- 2019માં રમઝાનના પવિત્ર મહિનાથી ઇસ્લામ ધર્મ પાળું છું
મધુબાલા: એક ઈશ્ક એક જૂનૂન, શક્તિ: અસ્તિત્વ કે અહેસાસ કી જેવી સીરિયલોથી પોપ્યુલર થનારા એક્ટર વિવિયન ડિસેનાએ લગ્ન, પિતા બનવા અને ધર્મપરિવર્તન અંગે મોટા ખુલાસા કર્યા. વિવિયને ખ્રિસ્તી ધર્મ ત્યજી ઇસ્લામ ધર્મ અંગિકાર કર્યો છે અને તે ઇજિપ્શિયન યુવતી સાથે લગ્ન કરી એક બાળકીનો પિતા પણ બન્યો છે. આ અંગે તેણે એક ઇન્ટરવ્યૂમાં ખુલાસા કર્યા છે.
વિવિયને જણાવ્યું કે...
હું 2019થી ઈસ્લામ ધર્મ પાળી રહ્યો છે. મારી જિંદગીમાં કંઈ ખાસ બદલાયું નથી. હું જન્મે ખ્રિસ્તી હતો અને હવે ઈસ્લામનું પાલન કરું છું. 2019માં રમઝાનના પવિત્ર મહિનાથી મેં ઈસ્લામ ધર્મનું પાલન શરૂ કર્યું હતું. દિવસમાં પાંચ વખત પ્રાર્થના કરીને મારા મનને શાંતિ અને સાંત્વનાની અનુભૂતિ થાય છે. આ વાત જણાવીને હું બધી જ અટકળો પર પૂર્ણવિરામ મૂકવા માગું છું.
છેલ્લે ટીવી સીરિયલ 'સિર્ફ તુમ'માં જોવા મળેલો વિવિયન ડિસેનાએ હંમેશા પોતાની અંગત જિંદગીને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કર્યું છે. જોકે, હવે ખુલાસો થઈ ગયો છે કે વિવિયને ગત વર્ષે બીજા લગ્ન કર્યા છે અને તે ચાર મહિનાની દીકરીનો પિતા છે. હાલમાં જ એક અંગ્રેજી અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં વિવિયને ખુલાસો કર્યો છે કે તે મુસ્લિમ ધર્મ પાળે છે.
વિવિયન ડિસેનાએ હાલમાં જ પુષ્ટિ કરી છે કે તેણે એક વર્ષ અગાઉ ઈજિપ્તની નાગરિક નૌરાન અલી સાથે લગ્ન કરી લીધા છે. થોડા દિવસ પહેલા જ વિવિયન ડિસેનાએ ઈજિપ્તની પૂર્વ પત્રકાર નૌરાન અલી સાથે લગ્ન કર્યા હોવાની વાતનો ખુલાસો થયો હતો. નૌરાન અને વિવિયનની દીકરી હોવાની વાત પણ બહાર આવી હતી. પછી આ અંગે તેણે કહ્યું કે. હા, મેં લગ્ન કરી લીધા છે અને મારી ચાર મહિનાની દીકરી છે. અમે લોકોએ સમય યોગ્ય લાગે ત્યારે લગ્ન અને દીકરીના જન્મના સમાચાર આપવાના જ હતા.
વિવિયન અને નૌરાને એક વર્ષ પહેલા ઈજિપ્તમાં અંગત પરિવારજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. તેણે આગળ કહ્યું, "પિતા બનવું સપનું સાકાર થવા સમાન છે. જ્યારે પણ હું મારી દીકરીને હાથમાં ઊંચકું છું ત્યારે દુનિયા મારી મુઠ્ઠીમાં હોય તેવું લાગે છે. અમે અમારી દીકરીનું નામ લાયન વિવિયન ડિસેના પાડ્યું છે." ઉલ્લેખનીય છે કે, અગાઉ વિવિયને એક્ટ્રેસ વ્હાબીઝ દોરાબજી સાથે પહેલાં લગ્ન કર્યા હતા. 2013માં કપલે લગ્ન કર્યા હતા અને 2018માં તેમના ડિવોર્સ થઇ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીજીપી વિકાસ સહાય દ્વારા ત્રણ PIને ફરજિયાત નિવૃત્તિનો આદેશ...જાણી લો કારણ
July 04, 2024 11:53 PMઆસામમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 56 લોકોના મોત, અરુણાચલમાં પણ 16 લાખથી વધુ અસરગ્રસ્ત
July 04, 2024 11:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech