વારંવારની સૂચના છતાં જગ્યા ખાલી નહીં કરાતા કાર્યવાહી

  • April 16, 2025 03:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ઘોઘા સર્કલ વિસ્તારમાં વારંવાર સૂચના આપવા છતાં પણ અગાઉ ખાલી કરાવેલ જગ્યામાં 
વારંવાર નવેસરથી ધંધો ચાલુ કરાતો  હોય મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરી સ્થળ પરથી  દબાણ હટાવી સામાન જપ્ત કર્યો હતો. જ્યારે ગઈકાલે શહેરના 
આંબાચોક વિસ્તારમાંથી અસ્થાયી દબાણો હટાવી માલસામાન જપ્ત કરાયો હતો. દરમ્યાનમાં આંબાચોકમાં ફરીથી દબાણો થયાનું જણાતા દબાણ હટાવ સેલની ટીમ આજે પણ આંબાચોક દોડી ગઈ હતી અને અસ્થાયી દબાણો  દૂર કરી સામાન જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application