સ્ત્રી અત્યાચાર કેસમાં સાસરાપક્ષના સભ્યોનો નિર્દોષ છૂટકારો

  • July 13, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં રણજીત સાગર શેડ ઉપર રહેતા મનિષાબેન  મુકેશકુમાર લખલાણીએ જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલ કે તેણીના લગ્ન જબલપુર , મધ્યપ્રદેશ મુકામે મુકેશકુમાર લખલાણી સાથે ૧૯૯૮ માં થયેલા લગ્ન બાદ તેણી સાસરે ગયેલ જયાં તેણીને બે બાળકો થયેલ બાદ સાસરા પક્ષના સભ્યો પતિ મુકેશભાઇ , જેઠ હરિશભાઈ તથા જેઠાણી વિગેરે છ લોકોએ તેણીને અલગ અલગ પ્રકારે દુઃખ ત્રાસ આપી દહેજની માંગણી કરી મારકુટ કરી કાઢી મુકેલ હોય તથા તેણી બાળકો સાથે જામનગર આવ્યા બાદ પતિ તથા દેર જામનગર આવી ધાક - ધમકી આપતા હોય તથા બાળકોને લઈ જવા પ્રયત્નો કરતા હોય જે ફરીયાદ અનુસંધાને મહિલા પોલીસ સ્ટેશન દ્વારા તમામ સાસરા પક્ષના સભ્યો વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ -૪૯૮ ( એ ) , ૪૦૬ , ૪૨૦ , ૩૨૩ , ૫૦૪ , ૫૦૬ ( ૨ ) તથા દહેજ પ્રતિબંધ ધારા હેઠળ ફરીયાદ નોંધી તમામ આરોપીની ધરપકડ કરી તે કલમ મુજબની ચાર્જશીટ જામનગર કોર્ટમાં દાખલ કરેલ જે કેસ જામનગર કોર્ટમાં ચાલી જતા ફરીયાદી તથા તેના પિયર પક્ષના સભ્યોની કોર્ટ સમક્ષ નોંધાવેલ સોગંદ ઉપરની જુબાની તેની ફરીયાદ તથા નિવેદનોથી વિરોધાભાસ જણાતો હોય તથા ફરીયાદ શંકાસ્પદ હોય આરોપી તરફે તે તમામ પુરાવાઓ યોગ્ય મુલ્યાંકન કરી તથા તેના દલીલના સમર્થનમાં ગુજરાત હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના સાઇટેશનો ટાંકી દલીલ કરતા નામ . એ.ડી. ચીફ જયુડી . મેજી .  એસ.એમ.ક્રિસ્ટીએ સાસરા પક્ષના તમામ સભ્યોને નિર્દોષ છુટકારો ફરમાવેલ છે . આરોપીઓના વકીલ તરફે વકીલ અશોક એસ . ગાંધી હાજર રહ્યા હતા . 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application