પોરબંદરમાં સગીરાના અપહરણ-બળાત્કારના કેસમાં આરોપીને વીસ વર્ષની પડી સજા

  • September 30, 2024 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરમાં સગીરાના અપહરણ-બળાત્કારના કેસમાં આરોપીને વીસ વર્ષની સજા પડી છે તથા ૨૬ હજાર ‚પિયાનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે.
આ ગુન્હાની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી તેઓના પરિવાર સાથે પોરબદર મુકામે રહેતા હોય અને આ કામના આરોપી વિજય રાજુ ચાંડપા પણ પોરબંદર મુકામે ફરીયાદીના નજીકના જ વિસ્તારમાં રહેતા હોય અને આરોપીને ભોગ બનનાર સાથે પરિચય થયેલ હોય જેથી આ કામના આરોપીએ તા. ૨૯-૩-૨૨ના સાંજના  અરસામાં પોરબંદરના વિરડીપ્લોટ વિસ્તારમાંથી આ કામના  ફરીયાદીની સગીર વયની દીકરી(ભોગ બનનાર)ને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી તેણીનું અપહરણ-અપનયન કરી લઇ જઇ ભોગ બનનારની ઇચ્છા વિ‚ધ્ધ તેણી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંભોગ કરી બળાત્કાર ગુજારેલ હતો. જે અન્વયે આ કામના ફરીયાદી દ્વારા કીર્તિમંદિર પોલીસસ્ટેશન ખાતે ફરીયાદ જાહેર કરવામાં આવતા આ કામના આરોપી વિ‚ધ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ની કલમ તથા પોકસો એકટની કલમ મુજબ અપહરણ અને બળાત્કારનો ગુન્હો દાખલ કરવામાંં આવેલ હતો અને તપાસના અંતે આરોપી વિ‚ધ્ધ પુરતા પુરાવા હોય કોર્ટમાં સ્પે. પોકસો કેસથી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ હતુ.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક  પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા કુલ ૨૫ દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ ૧૦ જેટલા સાહેદો તપાસવામાં આવેલ હતા. તથા સરકાર તરફે દલીલો રજૂ કરવામાં આવી હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ  તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી વિજય રાજુભાઇ ચાંડપાને એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા આઇ.પી.સી. કલમ તથા પોકસો એકટની કલમ મુજબના ગુન્હામાં કસુરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા કુલ ‚ા. ૨૬,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application