પોરબંદરમાં સગીરાના અપહરણ-બળાત્કારના કેસમાં આરોપીને વીસ વર્ષની સજા પડી છે તથા ૨૬ હજાર પિયાનો દંડ પણ કોર્ટે ફટકાર્યો છે.
આ ગુન્હાની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી તેઓના પરિવાર સાથે પોરબદર મુકામે રહેતા હોય અને આ કામના આરોપી વિજય રાજુ ચાંડપા પણ પોરબંદર મુકામે ફરીયાદીના નજીકના જ વિસ્તારમાં રહેતા હોય અને આરોપીને ભોગ બનનાર સાથે પરિચય થયેલ હોય જેથી આ કામના આરોપીએ તા. ૨૯-૩-૨૨ના સાંજના અરસામાં પોરબંદરના વિરડીપ્લોટ વિસ્તારમાંથી આ કામના ફરીયાદીની સગીર વયની દીકરી(ભોગ બનનાર)ને ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી તેણીનું અપહરણ-અપનયન કરી લઇ જઇ ભોગ બનનારની ઇચ્છા વિધ્ધ તેણી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંભોગ કરી બળાત્કાર ગુજારેલ હતો. જે અન્વયે આ કામના ફરીયાદી દ્વારા કીર્તિમંદિર પોલીસસ્ટેશન ખાતે ફરીયાદ જાહેર કરવામાં આવતા આ કામના આરોપી વિધ્ધ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ની કલમ તથા પોકસો એકટની કલમ મુજબ અપહરણ અને બળાત્કારનો ગુન્હો દાખલ કરવામાંં આવેલ હતો અને તપાસના અંતે આરોપી વિધ્ધ પુરતા પુરાવા હોય કોર્ટમાં સ્પે. પોકસો કેસથી ચાર્જશીટ ફાઇલ કરવામાં આવેલ હતુ.
આ કામે પ્રોસીકયુશન તરફે પબ્લિક પ્રોસીકયુટર સુધિરસિંહ બી. જેઠવા દ્વારા કુલ ૨૫ દસ્તાવેજી પુરાવાઓ તથા કુલ ૧૦ જેટલા સાહેદો તપાસવામાં આવેલ હતા. તથા સરકાર તરફે દલીલો રજૂ કરવામાં આવી હતી. જે અનુસંધાને કોર્ટ દ્વારા ઉપરોકત કામે રજુ કરવામાં આવેલ મૌખિક તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ બન્ને પક્ષોની દલીલો સાંભળી આ કામના આરોપી વિજય રાજુભાઇ ચાંડપાને એડી. ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ કે.એ. પઠાણ દ્વારા આઇ.પી.સી. કલમ તથા પોકસો એકટની કલમ મુજબના ગુન્હામાં કસુરવાન ઠરાવી ૨૦ વર્ષની સખત કેદની સજા તથા કુલ ા. ૨૬,૦૦૦નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજો તમે રાત્રે કંઇક હળવું અને હેલ્ધી બનાવવા માંગતા હોય તો બનાવો આ સાઉથ ઇન્ડીયન ડીશ
September 30, 2024 05:07 PMઆ છે અમેરિકાના સૌથી દુ:ખી શહેરો, અહીંના લોકો દેવામાં ડૂબેલા, નથી ટકતા કોઈના લગ્ન
September 30, 2024 05:00 PM'હરિયાણામાં આવી સરકારની જરૂર નથી', ચૂંટણી પહેલા રાહુલ ગાંધીએ અદાણી પર કર્યા પ્રહારો
September 30, 2024 04:55 PMતેલંગાણામાં સગીરા પર બળાત્કારથી ગુસ્સે ભરાયેલા લોકોએ આરોપીના ઘરમાં લગાવી દીધી આગ
September 30, 2024 04:54 PMતમે બંને લડતા રહેશો અને વકીલો ખુશ થતા રહેશે, છૂટાછેડા લેવા આવેલી મહિલાને CJIએ કેમ કહ્યું આવું?
September 30, 2024 04:51 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech