રાજાશાહી સમયના ખોટા ડોકયુમેન્ટ બનાવી કાવત રચ્યું : ગણતરીની કલાકોમાં પોલીસની કાર્યવાહી : અન્યની સંડોવણી અને દસ્તાવેજો બાબતે તપાસ
જમીનના રાજાશાહી સમયના બોગસ ડોકયુમેન્ટ બનાવી જમીન પચાવી પાડવા ગુનાહીત કાવત રચનાર શખ્સો વિરુઘ્ધ ગુનો દાખલ કરી ખંભાળીયા પોલીસે ગણતરીની કલાકોમાં 3 શખ્સોની ધરપકડ કરી છે, આ બનાવમાં પાંચ પૈકી બે આરોપીના મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે. આ પ્રકરણમાં અન્ય કોઇ સંડોવાયેલ છે કે કેમ તેમજ બનાવટી દસ્તાવેજો બાબતે સધન તપાસ ચલાવવામાં આવી રહી છે.
રાજકો રેન્ટ આઇજી અશોકકુમાર યાદવ તથા દ્વારકા એસપી નિતેશ પાંડેય, ડીવાયએસપી હાર્દિક પ્રજાપતીએ ખંભાળીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંતોષી માતાજીના મંદિરની બાજુમાં મંદિરની ઉત્તર દિશાએ શીટ નં. 38, શહેરી સર્વે નં. 4833 ક્ષેત્રફળ 760-95વાળી જગ્યા આવેલ હોય.
જે જમીન પચાવી પાડવા આ કામના આરોપીઓએ પુર્વ આયોજીત કાવત રચી સીટી સર્વેના સબંધીત અધિકારી/કર્મચારી સાથે સેટીંગ કરી સરકારની માલીકીની જમીનના ખોટા કિંમતી દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી સરકારી જગ્યા પચાવી પાડી સંતોષી માતાના મંદિરના મુખ્ય દ્વારથી ઉત્તરે આવેલ જગ્યાએ છેલ્લા 50 વર્ષથી શ્રઘ્ધાળુઓ માતાજીના દર્શને આવતા હોય તેઓ મંદીરે દર્શન કરવા આવી ન શકે તે માટે આરોપીઓએ જમીન પચાવી પાડવા કાવત રચી જમીન પચાવી પાડેલ હોય જેથી આ કામના આરોપી વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરી હતી.
જે સુચના આધારે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આરોપીઓને ગણતરીની કલાકોમાં પકડી પાડી આરોપીઓ વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરી છે. આરોપીઓમાં હનીફ સુલેમાન ખફી, ગફાર સુલેમાન ખફી, અબ્બાસ ઉમર ખીરા રહે. ખંભાળીયા પઠાણ પાડો, તેમજ ખતીજાબેન કાસમ ખફી તથા ગુલમામદ સુલેમાન ખફી આ બંને મરણગયેલ છે. આ ફરીયાદમાં તપાસ કરીને 3ની અટકાયત કરવામાં આવી છે ગુનો કરવામાં અન્ય કોઇની સંડોવણી છે કેમ તેમજ બનાવટી દસ્તાવેજો વિગેરેની તપાસ ચાલુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખનો આક્ષેપ... ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું
February 13, 2025 07:31 PMકોગ્રેસ નેતા પરેશ ધાનાણી જામ જોધપુર ની ગલીઓમા ફર્યા...અને કર્યો પ્રચાર
February 13, 2025 07:23 PMયે આકાશવાણી હૈ ....... આ શબ્દો આજે પણ યાદ આવે છે. રેડિયાનો એક યુગ હતો
February 13, 2025 07:15 PMધર્મગુરૂ દલાઈ લામાની સુરક્ષામાં વધારો, કેન્દ્રએ તેમને Z શ્રેણીની આપી સુરક્ષા
February 13, 2025 06:33 PMયે આકાશવાણી હૈ ....... આ શબ્દો આજે પણ યાદ આવે છે. રેડિયાનો એક યુગ હતો
February 13, 2025 06:32 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech