જામનગર સીટી-એ ડીવીઝનના પોકસોના એક ગુનામાં નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે અમદાવાદ એરપોર્ટ ખાતેથી પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર એસપી ડો. રવિ મોહન સૈની અને ઇન્ચાર્જ એસપી પ્રતિભા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ આથી ડીવાયએસપી ઝાલાના માર્ગદર્શન મુજબ આ દીશામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
દરમ્યાન સીટી-એ ડીવીઝનના પોકસો સહિતની કલમ હેઠળ ગત તા. ૨૧-૧૨-૨૫ના ગુનો દાખલ થયો હતો જે કામનો આરોપી નાસતો ફરતો હોય અને કોર્ટમાંથી બીએનએસ કલમ ૭૨નો વોરન્ટ કઢાવવામાં આવ્યો હતો જે અનુસંધાને સીટી-એ ડીવીઝન પીઆઇ ચાવડાની સુચના મુજબ સર્વેલન્સ સ્ટાફને હકીકત મળેલ કે ગુનાનો નાસતો ફરતો આરોપી મહમદસર્જીલ રહીમ ભાયા રહે. માધાપર ભુંગા, બેડીવાળો ઓમાનથી અમદાવાદ એરપોર્ટ ખાતે ઉતરવાનો છે.
જે બાતમી આધારે એએસઆઇ નરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. વિનય ઝાલા, અમદાવાદ એરપોર્ટ ખાતે પહોચ્યા હતા જયાં સ્થાનીક પોલીસ સાથે સંકલન સાધી આરોપી આવતા એરપોર્ટ ખાતેથી પકડી જામનગર લાવીને ધોરણસર અટક કરવા સહિતની કાર્યવાહી કરવામાં આવી હતી.