એકલવાયા જીવનથી કંટાળી કુવામાં ઝંપલાવ્યું
ધ્રોલ તાલુકાના ગોલીટા ગામમાં ખેત મજૂરી કામ કરતા પારપ્રાંતિય શ્રમિક યુવાને પોતાના એકલવાયા જીવનથી કંટાળી જઈ કુવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે.
મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ ધ્રોલ તાલુકાના ગોલીટા ગામના ખેડૂત અશોકભાઈ વાલાભાઈ માખેલાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા રાકેશ શંકરભાઈ ડામોર નામના ૨૫ વર્ષના શ્રમિક યુવાને કૂવામાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવ અંગે મૃતકની માતા સાગરીબેન શંકરભાઈ ડામોરે પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન કે જે ઘણી કુટેવ વાળો હતો, અને છેલ્લા કેટલાક દિવસથી એકલવાયું અને રખડતું ભટકતું જીવન જીવતો હતો. તેમ જ ગુમસૂમ રહેતો હતો. જે એકલવાયા જીવનના કારણે તેને લાગી આવતા કુવામાં પડી આત્મહત્યાનું પગલું ભરી લીધુ હતું.
***
અકસ્માતે દાઝી ગયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત
ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા કનકસિંહ ભગુભા જાડેજા નામના ૩૦ વર્ષના યુવાન થોડા દિવસ પૂર્વે એક ખાનગી કંપનીમાં પાઈપ શીફ્ટીંગનું કામ કરી રહ્યા હતા. ત્યારે અચાનક ગરમ વરાળના કારણે દાઝી જતાં તેમને વધુ સારવાર અર્થે અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગત તારીખ ૧૩ ઓક્ટોબરના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવની જાણ મૃતકના નાનાભાઈ દશરથસિંહ ભગુભા જાડેજા (ઉ.વ. ૨૮) એ અહીંની પોલીસને કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech