જૂનાગઢ મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ કરી પરતા ફરતા અમદાવાદના ભાવિકોનો ચોટીલા પાસે અકસ્માત, બેના મોત-10ને ઇજા

  • February 20, 2023 05:01 PM 

જૂનાગઢથી મહાશિવરાત્રીનો મેળો પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલા ભાવિકોને ચોટીલા પાસે અકસ્માત નડ્યો હતો. બોલેરો પીક-અપ નાળામાં ખાબકતાં બેના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. જ્યારે 10 લોકોને ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે રાજકોટ સિવિલ ખસેડવામાં આવ્યા હતા. મૃતદેહોને પીએમ અર્થે ખસેડી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિગત અનુસાર, અમદાવાદના ભાવિકો જૂનાગઢ મહાશિવરાત્રીના મેળામાં ભાગ લેવા માટે ગયા હતા. મેળો પૂર્ણ થયા બાદ ભાવિકો અમદાવાદ ફરત ફરી રહ્યા હતા. આજે વહેલી સવારે તેમની બોલેરો પીક-અપ ચોટીલા પાસે પહોંચી હતી. જ્યાં ચાલકે કાબુ ગુમાવતા બોલેરો પીક-અપ નાળામાં ખાબકી હતી.

પીક-અપ નાળામાં ખાબકતાં બે લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા અને 10 લોકોને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે મોકલ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application