નૈનીતાલમાં અકસ્માત: બેકાબૂ વાહન ખાઈમાં પડી જતા આઠ લોકોના મોત

  • April 09, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉત્તરાખંડના નૈનીતાલમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એક બેકાબુ વાહન ખાઈમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ અકસ્માત નૈનીતાલના બેતાલઘાટ વિસ્તારમાં થયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર વાહનમાં 11 લોકો હતા, જેમાંથી 8ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ થોડી જ વારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જીવ ગુમાવનારાઓમાં વિશ્રામ ચૌધરી,ધીરજ,અંતરામ ચૌધરી,વિનોદ ચૌધરી, ઉદય રામ ચૌધરી,તિલક ચૌધરી,ગોપાલ બસનિયાત, રાજેન્દ્ર કુમાર નિવાસીનો સમાવેશ થાય છે જયારે ઘાયલ થયેલા લોકોમાં શાંતિ ચૌધરી,છોટુ ચૌધરી, પ્રેમ બહાદુરનો સમાવેશ થાય છે.


આવો જ એક કિસ્સો થોડા સમય પહેલા ઉત્તરાખંડના ટિહરીમાં સામે આવ્યો હતો. અહીં એક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. જિલ્લાના ગાજા તાલુકામાં દુવાકોટી પાસે ટાટા સુમોનો અકસ્માત થયો હતો. કારમાં ડ્રાઈવર સહિત 11 લોકો સવાર હતા. જેમાં બે લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા. એક ઘાયલ વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું. જ્યારે આઠ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટાટા સુમો કાર કાબૂ બહાર જઈને ખાડામાં પડી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application