રાજકોટ મહાનગરપાલિકામાં માર્ચ–૨૦૨૪માં સ્વૈચ્છિક રીતે નિવૃત થયેલ બે અધિકારીઓ સહાયક કમિશનર વાસંતીબેન એસ.પ્રજાપતિ અને ડાઈરેકટર આઈ.ટી. સંજય ગોહિલ તથા અન્ય પાંચ કર્મચારીશ્રીઓને મ્યુનિ. કમિશનર આનદં પટેલ દ્રારા દ્રારા પુષ્પગુચ્છ અને શાલ તેમજ મોમેન્ટો અને શુભેચ્છા પત્ર આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. વહીવટી તંત્રના હાથ–પગ સમા અધિકારીઓ અને કર્મચારીઓને નિવૃત્તિના દિવસે જ પી.એફ. તેમજ જમા થયેલી હક્ક રજાનું રોકડમાં પાંતર જેવા લાભો મળી જાય તે પણ કમિશનર દ્રારા સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે મ્યુનિ. કમિશનર આનદં પટેલએ રાજકોટની વિકાસ પ્રક્રિયામાં પોતાનું યથોચિત યોગદાન આપી ફરજ પરથી નિવૃત થયેલ અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરવાની સાથે સુખશાંતિમય નિવૃત્તિ જીવન અને તંદુરસ્ત દીર્ઘાયુની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, ફરજકાળ દરમ્યાન આપ સૌએ દિવસ રાત જોયા વગર અનેક પ્રકારની જવાબદારીઓ નિભાવી છે. રાજકોટ અને રાજકોટવાસીઓની ખુબ સેવા કરી છે ત્યારે એ સમયમાં અધૂરા રહી ગયેલા પારિવારિક અને સામાજિક કાર્યેા અને જવાબદારીઓ હવે નિવૃત્તિકાળમાં પૂર્ણ કરજો.
આપના પરિવારજનો સાથે ખુશીપૂર્વક સુખમય સમય પસાર કરજો અને સંતાનો અને તેમના સંતાનોને પણ પર્યા સમય આપી શકશો. નિવૃત્તિકાળમાં વ્યકિતને શારીરિક–માનસિક સ્ફર્તિનો અભાવ જોવા મળતો હોય છે પરંતુ એવું ન બને અને સ્ફર્તિ જળવાઈ રહે એ માટે પ્રવૃત્તિમય રહેવું ખુબ જ આવશ્યક છે.
નિવૃત્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓમાં (૧) સહાયક કમિશનર વાસંતીબેન એસ. પ્રજાપતિ (૨) ડાઈરેકટર આઈ.ટી. સંજય ગોહિલ (૩) એસ્ટેટ શાખાના લેબર બાલુબેન એન. ડાંગર (૪) બાંધકામ શાખાના લેબર અમરશીભાઈ એસ. પરમાર, (૫) ફિલ્ટર પ્લાન્ટના વોચમેન જયંતીલાલ બી. મુંગરા, (૬) ભાદર સ્કીમના હેલ્પર ઘનશ્યામભાઈ ડી. પરમાર (૭) સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારી લીલાબેન એસ. સમાવેશ થાય છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પક્ષી ઘરમાં પક્ષીઓની વિશેષ સાર સંભાળ
May 20, 2024 06:33 PMકાળઝાળ ગરમીમાં જામનગર ગ્રેઇન માર્કેટના મજૂરોની કફોડી હાલત
May 20, 2024 06:31 PMરાજકોટ રેન્જ આઇ.જી જામનગરના વિવિધ પોલીસ સ્ટેશનની મુલાકાતે
May 20, 2024 06:26 PMજામનગરમાં 1404 આવાસના રહીશોને ખાલી કરવાની નોટિસ....
May 20, 2024 06:21 PMજામજોધપુર તાલુકાના વિરપુર ગામે થયેલ હત્યા મામલે ડીવાયએસપીએ વિગતો આપી
May 20, 2024 05:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech