વૈશ્વિક સંઘર્ષેા વચ્ચે નાગપુરમાં વિસ્ફોટકો બનાવતી કંપનીઓ સમૃદ્ધ બની છે. ૩ મહિનામાં કંપનીઓએ ૯૦૦ કરોડ પિયાના વિસ્ફોટકોનું વેચાણ કયુ છે તેમજ ૩,૦૦૦ કરોડ પિયાનો મોટો ઓર્ડર મળ્યો છે. નાગપુરની વિસ્ફોટક કંપનીઓના ખરીદદારોમાં માત્ર રશિયા, યુક્રેન જેવા દેશો જ નહીં પરંતુ બલ્ગેરિયા, સ્પેન, જર્મની, દક્ષિણ આફ્રિકા, વિયેતનામ, પોલેન્ડ, બ્રાઝિલ અને સાઉદી અરેબિયા પણ સામેલ છે. સૌથી વધુ માંગવામાં આવતા દાગોળામાં હોવિત્ઝર્સમાંથી છોડવામાં આવેલા ૧૫૫ એમએમ કેલિબરના શેલ અને ૪૦ એમએમ શોલ્ડરથી ફાયર કરાયેલા રોકેટનો સમાવેશ થાય છે. નાગપુરથી નિકાસની યાદીમાં બોમ્બ અને ગ્રેનેડ નવી શ્રેણી તરીકે ઉભરી આવ્યા છે. એપ્રિલથી જૂન સુધીમાં નાગપુરમાંથી ૭૭૦ કરોડ પિયાના બોમ્બની નિકાસ કરવામાં આવી છે.
લિસ્ટેડ કંપનીઓ અને મધ્યમ કદની પેટાકંપનીઓથી માંડીને નવા સંરક્ષણ જાહેર ક્ષેત્રના ઉપક્રમો સુધી ઓર્ડરો આવી રહ્યા છે. અન્ય દેશોના ખરીદદારો અંતિમ વપરાશ પ્રમાણપત્રો જાહેર કરી રહ્યા છે અને તેના આધારે ભારતીય ઉત્પાદકો વેચાણ માટે સરકારી લાઇસન્સ મેળવે છે. શક્ર ઉધોગના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું કે ભૌગોલિક રાજકીય સમીકરણોને કારણે કેટલાક દેશોમાં નિકાસ પર પ્રતિબધં છે. દેશો અંતિમ ઉપયોગ પ્રમાણપત્રો જાહેર કરી રહ્યા હોવાથી, તેનો અર્થ એ છે કે આ શક્રો તેમના પોતાના વપરાશ માટે છે. અધિકૃત રીતે ભારતીય લશ્કરી ઉધોગ યુદ્ધથી નફો કરી રહ્યો નથી.
કંપનીઓના મતે શેલ અને રોકેટ જેવા દાગોળો ઉપરાંત ઉચ્ચ ઊર્જાના કાચા માલની પણ વૈશ્વિક સ્તરે ખૂબ માંગ છે. યત્રં ઈન્ડિયા લિમિટેડ (વાયઆઈએલ) અને મ્યુનિશન્સ ઈન્ડિયા લિમિટેડ (એમઆઈએલ) જેવા જાહેર ક્ષેત્રના ઉપક્રમો (પીએસયુ) સહિત નાગપુરની કંપનીઓ આ વિશાળ નિકાસ ઓર્ડરને પૂર્ણ કરી રહી છે. સંરક્ષણ નિષ્ણાતોનું કહેવું છે કે આગામી સમયમાં આ માંગ વધુ વધશે. જે રીતે વૈશ્વિક પરિસ્થિતિનો વિકાસ થઈ રહ્યો છે તે જોઈને દુનિયાભરના દેશો પોતાની સુરક્ષાને મજબૂત કરવા માટે હથિયારો ખરીદી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજીડેમ પાસે ડમ્પરની ટક્કરે રિક્ષામાં સવાર મહિલાનું કરૂણ મોત, ડમ્પર ચાલક ફરાર
May 15, 2025 11:43 PMતુર્કી પર મોટું એક્શન, ભારત સરકારે સેલેબી એરપોર્ટનું લાઇસન્સ કર્યું રદ
May 15, 2025 07:14 PMટ્રમ્પના કારણે સીરિયામાં જશ્નનો માહોલ, અમેરિકી રાષ્ટ્રપતિએ એવું શું કર્યું?
May 15, 2025 07:07 PMજામનગરના એચજે લાલ ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
May 15, 2025 07:01 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech