હતાશામાંથી બહાર આવવા આમિર ખાન મેડિટેશન માટે પહોંચ્યો નેપાળ

  • May 09, 2023 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • મિ. પરફેક્ટનિસ્ટ સોમવારથી 10 દિવસ માટે વિપશ્યનામાં ભાગ લઇ રહ્યો છે
  • યશરાજ બેનરે ધૂમ 4 માટેની આમિર ખાનની ઓફર ફગાવી દીધી


ઠગ્સ ઓફ હિન્દોસ્તાન અને લાલ સિંહ ચઢ્ઢા આ બે ફિલ્મો લગલગાટ નિષ્ફળ જતાં મિ. પરફેક્ટનિશ આમિર ખાન નિરાશ છે. તેવામાં યશરાજ બેનરે તેને ધૂમ 4 જેવી ફિલ્મમાં એક્શન હીરો તરીકે તેને લેવાની ઓફર પણ ઠુકરાવી દેતા આમિર હતાશ પણ થઇ ગયો. જેથી તેમાંથી બહાર આવવા તેણે મેડિટેશનનો સહારો લોવાનું નક્કી કર્યું છે.


લાલસિંહના ધોબી પછાટ બાદ આમિર ખાન લાંબા સમયથી લાઈમ લાઈટથી દૂર છે. પરંતુ હાલમાં જ તેના અંગે આવેલા સમાચાર સૌનું ધ્યાન ખેંચ્યું છે. આમિર ખાન મેડિટેશન માટે નેપાળના કાઠમંડુ પહોંચ્યો છે. અહીં તે 10 દિવસ સુધી મેડિટેશન કરશે. આમિર ખાનના મેડિટેશન સેશનની સોમવારથી શરૂઆત થઇ ગઇ છે.


આમિર છેલ્લે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી. ત્યાર બાદ આમિર ખાને જાહેરાત કરી હતી કે, તે એક્ટિંગમાંથી બ્રેક લઈ રહ્યો છે. આમિર ખાને જણાવ્યું હતું કે તે પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માગે છે જેથી તે બ્રેક લઈ રહ્યો છે. જોકે, હવે આમિર ખાન નેપાળ ઉપડી ગયો છે. અહીં તે 10 દિવસના વિપશ્યના મેડિટેશન પ્રોગ્રામમાં ભાગ લેશે. આમિર ખાનના મેડિટેશન સેશન આજથી (8 મે)થી શરૂ થયું.


નેપાળમાં આવેલા વિપશ્યના સેન્ટરના અધિકારી રૂપ જ્યોતિએ પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું..


"હા, આ વાત સાચી છે. આમિર ખાન અહીં 10 દિવસના વિપશ્યના મેડિટેશનમાં ભાગ લેશે. તેમનું સેશન સોમવારથી જ શરૂ થઈ ગયું છે. એરપોર્ટથી તેઓ સીધા જ બુધનિલકંઠામાં પહોંચ્યો હતો અને સેશન શરૂ કર્યું હતું.


આમિર ખાન સ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન્સ' પર કામ શરૂ કરવાનો હતો પરંતુ તેણે ગત વર્ષે જ કામમાંથી બ્રેક લેવાની જાહેરાત કરી હતી. તેણે એક ઈવેન્ટમાં કહ્યું હતું કે..


ચેમ્પિયન્સની સ્ક્રીપ્ટ ખૂબ સરસ છે અને વાર્તા પણ સુંદર છે. હૃદયને સ્પર્શી જાય તેવી ફિલ્મ છે પરંતુ હું મારા પરિવાર, મારી મમ્મી અને બાળકો સાથે સમય વિતાવવા માગુ છું. આટલા વર્ષોથી હું સતત કામ કરી રહ્યો છું અને ફક્ત તેના પર જ ધ્યાન આપ્યું છે. મને લાગે છે કે મારી નજીકના લોકો સાથે હું અન્યાય કરી રહ્યો છું. હું 'ચેમ્પિયન્સ' પ્રોડ્યુસ કરીશ કારણકે મને ફિલ્મમાં વિશ્વાસ છે. હું જે રોલ કરવાનો હતો તેના માટે હું એક્ટરોનો સંપર્ક કરીશ અને તેમની ઈચ્છા જાણીશ. હાલ હું જીવનના એવા તબક્કામાં છું જ્યાં સંબંધોને માણવા માગુ છું.



આમિર ખાને બોલીવૂડને 'લગાન', '3 ઈડિયટ્સ', 'પીકે', 'દિલ ચાહતા હૈ', 'રંગ દે બસંતી' જેવી કેટલીય હિટ ફિલ્મો આપી છે. પરંતુ છેલ્લા થોડા સમયથી પડદા પર તેનો જાદુ નથી ચાલી રહ્યો. 'લાલ સિંહ ચઢ્ઢા' પહેલા તેની ફિલ્મ 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાન' પણ બોક્સઓફિસ પર પીટાઈ ગઈ હતી. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ, ફાતિમા સના શેખ જેવા કલાકારો હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application