અગ્નિકાંડના આરોપી એટીપી જોષી મકવાણાએ પણ જામીન અરજી કરી

  • September 17, 2024 04:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અતિ ચકચારી ટીઆરપી ગેમ ઝોન અિકાંડના કેસની ચાર્જશીટ મુકાઇ ગયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા અને ડેપ્યુટી આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઇલેશ ખેરની જામીન અરજી બાદ વધુ બે આરોપીઓ આસિસ્ટન્ટ ટાઉન પ્લાન્ટરો ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ પણ કોર્ટમાં જામીન અરજી મૂકતા ચારેય જામીન અરજીની આવતીકાલે તા. ૧૮ના રોજ સુનાવણી રાખવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક નાના મવા વિસ્તારમાં આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં ગઇ તારીખ ૨૮ ૫ ૨૦૨૪ના રોજ વિનાશક આગ ફાટી નીકળતા નાના બાળકો અને ગેમઝોનના કર્મચારીઓ સહિત ૨૭ લોકો ભડથું થઈ ગયા હતા. આ બનાવવાળી જગ્યાનું ફાયર એનઓસી લેવામાં આવેલ ન હોય, તત્રં દ્રારા ગેમ ઝોનના ભાગીદારો અને તંત્રના જવાબદાર અધિકારીની સાંઠગાંઠ હોવાના કારણે આ દુ:ખદ ગોઝારી દુર્ઘટના બની હોવાનું બહાર આવ્યું હતું, આ બનાવને ગંભીરતાથી લઇ રાય સરકાર દ્રારા એસ.આઇ.ટી.ની રચના કરવામાં આવી હતી. જે તપાસમાં ટીઆરપી ગેમ ઝોનના ભાગીદારો, સંચાલકો અને મહાનગરપાલિકા સહિતના જવાબદાર અધિકારીઓ વગેરે ૧૫ આરોપીઓ ધવલ ભરતભાઈ ઠક્કર, યુવરાજસિંહ હરિસિંહ સોલંકી,  રાહુલ લલિતભાઈ રાઠોડ ,નીતિન મહાવીરપ્રસાદ લોઢા , અશોકસિંહ જગદીશસિંહ જાડેજા ,કિરીટસિંહ જગદીશસિંહ જાડેજા, મહેશ અમૃતભાઈ રાઠોડ, મનસુખ ધનજીભાઈ સાગઠીયા, ગૌતમ દેવશંકર જોષી, મુકેશ રામજીભાઈ મકવાણા ,જયદિપ બાલુભાઈ ચૌધરી ,રાજેશ નરશીભાઈ મકવાણા, રોહિત અસમલભાઈ વિગોરા, ભીખાભાઈ જીવાભાઈ થીબા, ઈલેશ વલભભાઈ ખેર શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી જેલહવાલે કરાયા હતા, દરમિયાન તપાસ પૂર્ણ થતા અદાલતમાં ચાર્જશીટ રજૂ થતા, આ કેસ સેશન્સ કમિટ થયા બાદ જમીન માલિક અશોકસિંહ જાડેજા અને ડેપ્યુટી આસિસ્ટન્ટ ફાયર ઓફિસર ઈલેશ ખેરની જામીન અરજીની અગાઉની સુનાવણીમાં બે વકીલો પહોંચી શકયા ન હતા, તપાસનીશ પોલીસ દ્રારા ઇલેશ ખેરની થયેલી જામીન અરજી સંદર્ભ સોગંદનામું કરવાનું બાકી હોવાથી સંયુકત રીતે સમય માંગવામાં આવ્યો હતો, અનુસંધાને અદાલત દ્રારા પક્ષકારોની સાથે ચર્ચા વિચારણા કરીને તારીખ ૧૮ મી સપ્ટેમ્બર આગામી સુનાવણી રાખવામાં આવી હતી, દરમિયાન બાદ જેલ હવાલે રહેલા મહાપાલિકાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર ગૌતમ દેવશંકર જોશી અને રાજેશ નરસિંહભાઈ મકવાણાએ પણ જામીન અરજી દાખલ કરતા અદાલતે તપાસનીશ સોગંદનામાં સાથે આવતીકાલે તા. ૧૮મીએ કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું છે, આથી ચારેયની જામીન અરજીની સુનાવણી આવતીકાલે હાથ ધરવામાં આવશે.
આ કેસમાં સરકાર પક્ષે સ્પે.પી.પી. તુષાર ગોકાણી અને એડિશનલ પી.પી. નીતેષ કથીરીયા તેમજ હતભાગી પરિવારો વતી રાજકોટ બાર એસો.ના ઉપ પ્રમુખ સુરેશ ફળદુ સહિતના હોદ્દેદારો અને કારોબારી સભ્ય અજયસિંહ ચૌહાણ રોકાયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application