શહેરના રૂવાપરી રોડ પર આવેલા ત્રિવેણી મીલ સામેના ભાગે રહેતા અનિકેતભાઈ વિજયભાઈ પરમાર (ઉ.વ. ૨૧) એગત સાંજના શહેરના નવાબંદર જેટીની જગ્યા નજીક આવેલી બાવળની કાંટમાં જઈ ગળે ફાંસો ખાઈ આત્મ હત્યા કરી લીધી હતી. ઉક્ત બનવાના પગલે ભારે અરેરાટી છવાઈ જવા પામી હતી. દરમિયાન યુવકના મૃતદેહને ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડાતા મોટી સંખ્યામાં પરિવારજનો દોડી આવ્યા હતા. મૃતક અનિકેતભાઈના મામા વિનોદભાઈ કાંતીભાઈ ગોહેલે જણાવ્યુ હતું કે, અનિકેતના દાદીએ તેઓનું મકાન સબંધીને જ ભાડે આપ્યુ હતું. જે મકાન ખાલી કરી આપવાનું કહેતા તેના સબંધીઓએ માથાકુંટ કરી હતી. અને તેઓના ઘરે જાતેથી તોડફોડ કરી તેની,અનિકેત સહીતના ઉપર કેસ કર્યો હતો. જે કેસના સમાધાન માટે એક લાખ માંગી તેઓના પરિવારને ધાક ધમકી આપતા હતા. જેના કારણે અમે ઘરેથી નિકળી ભાગતા ફરી રહ્યા હતા. ઉક્ત શખસોના ત્રાસ અને ધમકીના કારણે અનિકેતે અંતિમ પગલુ ફરી લીધાનો આક્ષેપ કર્યો હતો. ઉક્ત ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવેપારીઓ આનંદો: જીએસટીની નવી માર્ગદર્શિકા મુજબ સાત દિવસમાં રજિસ્ટ્રેશન શકય બનશે
April 19, 2025 03:26 PMમુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેનની આગામી ચાર ટ્રિપનું ઉત્તર પ્રદેશમાં માર્ગાંતર
April 19, 2025 03:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech