ભૂલી પી લીધાનું ૨ટણ
જામનગ૨ના લાલપુ૨ તાલુકાના સાજડીયા૨ી ગામે ૨હેતા યુવકે ગઈકાલ સાંજે જામનગ૨ની શ્રધ્ધા હોસ્પિટલ વાળા ૨ોડ ઉપ૨ ઝે૨ી દવા પી લેતા પ્રમ જામનગ૨ બાદ ૨ાજકોટ સા૨વા૨માં ખસેડવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ સાજડીયા૨ી ગામે ૨હેતો સૈફુદીન ૨મઝાનભાઈ નોયડા (ઉ.વ.૨૬)નામનો યુવક સાંજે જામનગ૨માં આવેલી શ્રધ્ધા હોસ્પિટલ પાસે હતો ત્યા૨ે ઝે૨ી દવા ગટગટાવી લેતાં પ્રમ જામનગ૨ અને ત્યાંી ૨ાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ બાદ સિવિલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગ૨ એ.ડીવીઝન પોલીસને જાણ ક૨ી હતી.
યુવક બે ભાઈ એક બહેનમાં બીજા નંબ૨ે છે. પિ૨વા૨ના કહેવા મુજબ માનસિક સ્િિત બ૨ાબ૨ ન હોવાી મગજ ભમતા ઝે૨ી દવા પી લીધી હતી. વધુ તપાસ જામનગ૨ પોલીસને હા ધ૨ી છે.
**
ચેકડેમમાં નહાવા પડેલા ધતુરીયાના યુવાનનું ડૂબી જતા મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામની સીમમાં રહેતા અને મૂળ સુરત જિલ્લાના રહીશ એવા સંજયભાઈ કાળીદાસ રાઠોડ નામના ૪૨ વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે ધતુરીયા ગામની સીમમાં આવેલા પાણી ભરેલા એક ચેકડેમમાં નહાવા ગયા હતા, ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ રમણભાઈ નટવરભાઈ રાઠોડએ કલ્યાણપુર પોલીસને કરી છે.
**
ગોરધનપર ગામમાં આધેડે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી: માતા-પિતા અલગ રહેતા હોવાનું મનમાં લાગી આવતાં પગલુ ભર્યુ
જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા વનરાજસિંહ જીવુભા ચુડાસમા નામના ૫૨ વર્ષના આધેડે ગઈકાલે પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. આ બનાવ અંગે મૃતક ના પુત્ર સાગરસિંહ વનરાજસિંહ ચુડાસમાએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મરણજનારના પિતા તથા તેમના માતા બંને અલગ અલગ રહેતા હોય જે બાબતનું મનોમન લાગી આવતા પોતાની મેળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech