લાલપુ૨ના સાજડીયા૨ીના યુવકે જામનગ૨માં ઝે૨ ગટગટાવ્યું

  • July 14, 2023 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભૂલી પી લીધાનું ૨ટણ

જામનગ૨ના લાલપુ૨ તાલુકાના સાજડીયા૨ી ગામે ૨હેતા યુવકે ગઈકાલ સાંજે જામનગ૨ની શ્રધ્ધા હોસ્પિટલ વાળા ૨ોડ ઉપ૨ ઝે૨ી દવા પી લેતા પ્રમ જામનગ૨ બાદ ૨ાજકોટ સા૨વા૨માં ખસેડવામાં આવ્યો છે.
મળતી વિગત મુજબ સાજડીયા૨ી ગામે ૨હેતો સૈફુદીન ૨મઝાનભાઈ નોયડા (ઉ.વ.૨૬)નામનો યુવક સાંજે જામનગ૨માં આવેલી શ્રધ્ધા હોસ્પિટલ પાસે હતો ત્યા૨ે ઝે૨ી દવા ગટગટાવી લેતાં પ્રમ જામનગ૨ અને ત્યાંી ૨ાજકોટની વોકહાર્ટ હોસ્પિટલ બાદ સિવિલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જામનગ૨ એ.ડીવીઝન પોલીસને જાણ ક૨ી હતી.
યુવક બે ભાઈ એક બહેનમાં બીજા નંબ૨ે છે. પિ૨વા૨ના કહેવા મુજબ માનસિક સ્િિત બ૨ાબ૨ ન હોવાી મગજ ભમતા ઝે૨ી દવા પી લીધી હતી. વધુ તપાસ જામનગ૨ પોલીસને હા ધ૨ી છે.
**
ચેકડેમમાં નહાવા પડેલા ધતુરીયાના યુવાનનું ડૂબી જતા મૃત્યુ
કલ્યાણપુર તાલુકાના ધતુરીયા ગામની સીમમાં રહેતા અને મૂળ સુરત જિલ્લાના રહીશ એવા સંજયભાઈ કાળીદાસ રાઠોડ નામના ૪૨ વર્ષના યુવાન ગઈકાલે ગુરુવારે ધતુરીયા ગામની સીમમાં આવેલા પાણી ભરેલા એક ચેકડેમમાં નહાવા ગયા હતા, ત્યારે પાણીમાં ડૂબી જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ રમણભાઈ નટવરભાઈ રાઠોડએ કલ્યાણપુર પોલીસને કરી છે.
**
ગોરધનપર ગામમાં આધેડે ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી: માતા-પિતા અલગ રહેતા હોવાનું મનમાં લાગી આવતાં પગલુ ભર્યુ
જામનગર તાલુકાના ગોરધનપર ગામમાં પાણીના ટાંકા પાસે રહેતા વનરાજસિંહ જીવુભા ચુડાસમા નામના ૫૨ વર્ષના આધેડે ગઈકાલે પોતાના ઘેર ગળા ફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.  આ બનાવ અંગે મૃતક ના પુત્ર સાગરસિંહ વનરાજસિંહ ચુડાસમાએ પોલીસને જાણ કરતાં  સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. મરણજનારના પિતા તથા તેમના માતા બંને અલગ અલગ રહેતા હોય જે બાબતનું મનોમન લાગી આવતા પોતાની મેળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application