ખંભાળિયા - જામનગર ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 17 કિલોમીટર દૂર દેવળિયા ગામ પાસેની ખાનગી કંપની નજીકથી જી.જે. 10 ટી.ડબલ્યુ. 6599 નંબરની સીએનજી રીક્ષા લઈને જામનગર તરફ જઈ રહેલા છત્રસિંહ અગરસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાનના રીક્ષાને આ માર્ગ પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે પોતાનું વાહન બેફિકરાઈપૂર્વક ચલાવી, છત્રસિંહની રીક્ષાને પાછળથી ઠોકર મારી હતી. જેના કારણે તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અકસ્માત સર્જીને આરોપી વાહન ચાલક પોતાનું વાહન લઈને નાસી છૂટ્યો હોવાનું પણ વધુમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભરતસિંહ અગરસિંહ વાઢેર (ઉ.વ. 36, રહે. પુનીતનગર, જામનગર) ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસ અજાણ્યા મોટરકાર સામે આઈપીસી કલમ 279, 304 (એ)તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ આગળની તપાસ પી.એસ.આઈ. ડીજી. પરમાર દ્વારા હાથ ધરવામાં આવી છે.
ઝેરી ટીકડા પી જતા આંબલીયારાના યુવાનનું મૃત્યુ
ભાણવડ તાબેના આંબલીયારા ગામે રહેતા અશોકભાઈ પોપટાભાઈ સુરેલા નામના 27 વર્ષના કોળી યુવાને તા. 23 મી ના રોજ ઈન્દ્રેશ્વર મંદિરના પુલ પાસેના ઝાડ હેઠળ ઝેરી ટીકડા પી જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ મૃતકના પિતા પોપટાભાઈ પુંજાભાઈ સુરેલાએ ભાણવડ પોલીસને કરી છે.
ઓખામાં અજાણ્યા ભિક્ષુકને હૃદયરોગનો હુમલો
ઓખામાં આવેલી વિરામ આશા ઓફિસની પાછળના ભાગના રેલવે ટ્રેક પાસેથી આશરે 55 થી 60 વર્ષના અજાણ્યા ભિક્ષુક વૃદ્ધનો મૃતદેહ મળી આવ્યો હતો. આ વૃદ્ધનું મૃત્યુ ગઈકાલે સોમવારે હૃદયરોગના હુમલાના કારણે અથવા અન્ય કોઈ કારણસર થયું હોવાથી અંગેની જાણ નગરપાલિકાના અશ્વિનભાઈ વેગડ દ્વારા ઓખા મરીન પોલીસને કરવામાં આવી છે. જે અંગે ઓખા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech