જામનગરના જુના બંદરે દિવાલનું ચણતર કામ કરી રહેલા રમીત યુવાનનું પાટિયું તૂટી જવાથી નીચે પટકાઈ પડતાં અપમૃત્યુ થયું છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશ નો વતની, અને હાલ જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતો અને જુના બંદરે મજૂરી કામ કરતો ડોરીલાલ રામજીત રાજપુત (૨૫), કે જે ગઈકાલે જુના બંદરે એક દીવાલનું બાંધકામ કરી રહ્યો હતો.
જ્યાં બાંધેલા પાટીયાની નીચેનો ખીલો નીકળી જતાં પાટિયું તૂટવાથી જમીન પર નીચે પટકાઈ પડ્યો હતો, અને ગંભીર ઈજા થવાથી તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં બેડી મરીન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.કે. જાડેજાએ જી.જી. હોસ્પિટલમાં પહોંચી જઈ મૃતદેહ નો કબ્જો સંભાળ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMયુએસના ૧૦૪ ટકા ટેરિફ લગાવવાના નિર્ણય પર ચીનની પ્રતિક્રિયા: અમે સામનો કરવા માટે તૈયાર
April 09, 2025 11:59 AMભારત સહિત ઘણા દેશો ટેરિફ ઘટાડવા તૈયાર, ટ્રમ્પના વેપાર પ્રતિનિધિ જેમ્સન ગ્રીરનો દાવો
April 09, 2025 11:57 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech