નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાની માનસિક બીમારી તેમજ એકલવાયા જીવનથી કંટાળી જઈ એસિડ પી લઈ આત્મહત્યા કરી લીધી છે.
જામનગરના નવાગામ ઘેડ માસ્તર સોસાયટીમાં રહેતા અશોકસિંહ ગંભીરસિંહ જાડેજા નામના ૩૧ વર્ષના યુવાને ગત તા. ૩ના રોજ પોતાના ઘેર એસિડ પીલઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગર થી સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે.
આ બનાવ અંગે મૃતકના પિતા ગંભીરસિંહ નવલસિંહ જાડેજાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન છેલ્લા સાતેક વર્ષથી માનસિક બીમારીથી પીડાતો હતો, તેમ જ એકાદ વર્ષથી એકલવાયું જીવન જીવતો હતો. જેનાથી કંટાળી જઇ પોતાના હાથે એસીડ પી આ પગલુ ભરી લીધું હતું.
***
સિક્કાના યુવાનનેે ચક્કર-આંચકી આવતાં મૃત્યુ: છ મહિના પહેલાં મારામારીમાં ઇજા થયા પછી માથામાં દુ:ખાવો રહેતો હતો
જામનગર તાલુકાના સિક્કામાં રહેતા એક યુવાનને આજથી છ મહિના પહેલાં મારામારીમાં હેમરેજ સહિતની ઈજા થયા પછી પોતાના ઘેર વારંવાર માથાનો દુ:ખાવો રહેતો હતો, અને ચક્કર અને આંચકી આવતાં મૃત્યુ નીપજયું છે.
જામનગર તાલુકાના સિક્કામાં પંચવટી સોસાયટીમાં રહેતા ધર્મરાજસિંહ નટુભા કંચવા નામના ૩૪ વર્ષના યુવાનને ગઈકાલે પોતાના ઘેર માથાનો દુ:ખાવો થયા પછી એકાએક ચક્કર આવવા લાગ્યા હતા, તેમજ આંચકીઓ ઉપડતાં તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજયું છે. આ બનાવ અંગે મૃતકના સંબંધી ભગીરથસિંહ ભુપતસિંહ કંચવાએ પોલીસને જાણ કરતાં સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક યુવાનને આજથી છ માસ પહેલાં ગત તારીખ ૪.૮.૨૦૨૩ ના દિવસે મારામારીમાં માથાના ભાગે હેમરેજ સહિતની ઈજા થઈ હતી, અને તેની સારવાર ચાલતી હતી. દરમિયાન આંચકી આવ્યા બાદ મૃત્યુ થયુ હતું. દરમ્યાન સિકકા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech