પોરબંદરના બીલડી ગામે ખેતરના રસ્તા પ્રશ્ર્ને યુવાનને ધમકી અપાતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે. બીલડી ગામની મુખ્ય બજારમાં રહેતા પુંજા ઉર્ફે મુન્નો જેઠા કરમટા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૪-૫ના સાંજે ૪ વાગ્યે તેના ખેતરના શેઢે કામ કરતો હતો ત્યારે તેની બાજુમાં રહેતા ભગુભાઇ મેપાભાઇ તથા તેના બે ભત્રીજાઓ પરેશ ભોજા અને નિલેષ હીરા હાજર હતા. ત્રણે જણાએ પુંજાભાઇ પાસે આવીને એવુ કહ્યુ હતુ કે ‘અમને તારા ખેતરમાંથી રસ્તો આપી દેજે નહીંતર તને મારી નાખીશ’ જેથી ફરિયાદીએ તેઓને સમજાવતા કહ્યુ હતુ કે ‘ આપણે ખેતરના રસ્તા બાબતે અગાઉ મામલતદારની કચેરીએ નિરાકરણ થઇ ગયુ છે. તમને મારા ખેતરમાંથી રસ્તો આપવા બાબતનો દાવો મામલતદાર દ્વારા ખારીજ કરવામાં આવ્યો છે.’ તેમ કહેતા ભગુ અને તેના બે ભત્રીજાઓ પરેશ અને નિલેષ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો આપતા આપતા જતા રહ્યા હતા. ફરિયાદી પણ તેના ઘરે જતો હતો. તે દરમ્યાન પુંજાભાઇના કાકા કમાભાઇના દીકરા દેવાભાઇ ઘરે હાજર હતા. તેના ફોનમાં કમલેશ હીરાએ ફોન કરીને ‘ભગુભાઇને ખેતરમાંથી રસ્તો આપી દેજે નહીંતર બાધવાની તૈયારી રાખજે’ તેમ કહીને ગાળો બોલતો હતો અને ધમકી આપતો હતો. તેથી ઘરના સભ્યોને વાત કરતા પુંજાને પરિવારજનોએ હિંમત આપતા પોલીસ ફરિયાદ નોંધાવવા માટે કુતિયાણાના પોલીસ સ્ટેશને ગયો હતો.
પોલીસમથકે જઇને ગુન્હા અંગે એવુ જણાવ્યુ હતુ કે બનાવનું કારણ એવુ છે કે બીલડી ગામના પાદરમાં પુંજાભાઇના માતાના ખાતેદારનું બારેક વીઘાનું ખેતર આવેલુ છે અને એ ખેતરની બાજુમાં ભગુ મેપાનું મકાન આવેલ છે અને ખેતર પણ આવેલ છે. ભગુને તેના ઘરેથી ખેતરમાં જવા માટે બીજા રસ્તા હોવા છતાં ફરિયાદી પુંજાભાઇના ખેતરમાંથી રસ્તો જોતો હોવાથી એ બાબતે અગાઉ કુતિયાણા પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી તેથી રસ્તાનું મનદુ:ખ રાખીને ભગુ મેપા, પરેશ ભોજા, નિલેષ હીરા અને કમલેશ હીરાને ધમકી આપતા એફ.આઇ.આર. દાખલ થઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech