ધોરાજીમાં કેરમ રમતા સમયે માથકૂટ બાદ યુવાન પર છરી વડે હુમલો કરાયો
ધોરાજીમાં કેરમ રમતા સમયે માથકૂટ બાદ યુવાન પર છરી વડે હુમલો કરાયો
April 21, 2026 02:28 PM
રાજકોટ ધોરાજીના નસીબ ચોકમાં કેરમ રમતા સમયે માથાકૂટ થતા યુવાન પર છરી વડે હત્પમલો કરવામાં આવ્યો હતો. હત્પમલામાં ઘવાયેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી. ધોરાજીના બહારપુરામાં રહેતા કિશોરભાઈ નારણભાઈ સોલંકી (ઉ.વ. ૪૪) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ભયુ ઉર્ફે સતીષ શામજી પરમાર (રહે. ધોરાજી) નું નામ આપ્યું છે. યુવાને જણાવ્યું હતું કે, તે કડીયાકામ કરી ઘર પરીવારનુ ગુજરાન ચલાવે છે. તેઓ પાંચ ભાઈઓ તથા એક બહેન છે. ગઈકાલે સાંજના સાડા આઠેક વાગ્યે તે ધોરાજીના આંબેડકરનગરમાં મીત્ર રામદાસ નરભેરામ ચૌહાણના ઘરે હતો તે વખતે મીત્ર હેંમત ચૌધરીનો ફોન આવેલ કે, તમારા ભાઇ દિલીપભાઈને નસીબ ચોકમાં ભયુ ઉર્ફે સતીષ શામજી પરમારે છરી મારી દિધી છે, અમે તેને સરકારી દવાખાને લઈને જઇ છીએ, જેથી યુવાન હોસ્પિટલ જતા દિલીપભાઈની સારવાર ચાલુ હતી અને તેને મોઢામાં ગાલે મોટો ચીરો પડી ગયેલ અને હોઠ કપાઇ ગયા હતા. ફરીયાદીએ બનાવના કારણ અંગે જણાવ્યું હતું કે, દિલીપભાઈ તથા ભયુ ઉર્ફે સતીષ પરમાર કેરમ રમતા હોય તે વખતે કોઈ કારણોસર ઝગડો થતા ભયુએ દિલીપભાઈને છરીના ઘા મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી..