નવી વેરાવળના યુવાનનો પ્રેમ સંબંધમાં ગુમ-સૂમ રહ્યા પછી ઝેર પી લઈ આપઘાત

  • September 13, 2024 11:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામના એક યુવાને પ્રેમ સંબંધ ના કારણે છેલ્લા બે દિવસથી ગુમસૂમ બની ગયા પછી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જેથી ભારે ચકચાર જાગી છે.


આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં રહેતા ભરત પરબતભાઈ કરમુર નામના ૩૦ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું ગઈ રાત્રે મૃત્યુ નીપજ્યું છે.


આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભીખાભાઈ પરબતભાઈ કરમુરે પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાડેજા જીજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

પોલીસ ની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું, કે મૃતક યુવાનને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહેતી પોતાના જ કુટુંબની પરિચિત એવી એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ છેલ્લા બે દિવસથી પ્રેમ પ્રકરણમાં પોતે ગમસૂમ રહેતો હતોઝ અને તેના કારણે ઝેર પી લીધું હોવાનું જણાવાયું છે. જે મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application