જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામના એક યુવાને પ્રેમ સંબંધ ના કારણે છેલ્લા બે દિવસથી ગુમસૂમ બની ગયા પછી ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. જેથી ભારે ચકચાર જાગી છે.
આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકાના નવી વેરાવળ ગામમાં રહેતા ભરત પરબતભાઈ કરમુર નામના ૩૦ વર્ષના યુવાને ગઈકાલે પોતાના ઘેર પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતાં તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું ગઈ રાત્રે મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ ભીખાભાઈ પરબતભાઈ કરમુરે પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોન્સ્ટેબલ એ.એમ. જાડેજા જીજી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.
પોલીસ ની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું, કે મૃતક યુવાનને છેલ્લા કેટલાક સમયથી સુરતમાં રહેતી પોતાના જ કુટુંબની પરિચિત એવી એક યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો, પરંતુ છેલ્લા બે દિવસથી પ્રેમ પ્રકરણમાં પોતે ગમસૂમ રહેતો હતોઝ અને તેના કારણે ઝેર પી લીધું હોવાનું જણાવાયું છે. જે મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવાવડીમાં નિર્દોષ યુવકને પાઇપના ઘા મારી મોતને ઘાટ ઉતારનાર પાંચેયની ધરપકડ
June 07, 2025 03:09 PMકામે લાગી જાવ, ફિલ્ડમાં રહો, લોકો સુધી જાવ, કરેલા કામ બતાવો: કોર્પોરેટરોને સીએમની શીખ
June 07, 2025 03:07 PMરશિયા યુક્રેન પર પરમાણુ હુમલાની તૈયારી કરી રહ્યું છેઃ બ્રિટિશ કર્નલની ગંભીર ચેતવણી
June 07, 2025 03:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech