લાલપુરના ખટિયાના યુવાનનું તળાવમાં ડૂબી જતાં અપમૃત્યુ

  • August 13, 2024 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના ખટિયા ગામમાં રહેતા યુવાનનું તળાવમાં માછીમારી કરવા માટે ગયા પછી અકસ્માતે તળાવમાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.


આ બનાવની વિગત એવી છે કે લાલપુર તાલુકા ના ખટીયા ગામમાં રહેતો અને મજૂરી કામ કરતો ખોડાભાઈ બેચરભાઈ સીતાપરા નામનો ૪૫ વર્ષનો યુવાન, કે જે ગઈકાલે ખડખંભાળીયા ગામના તળાવમાં માછીમારી કરવા માટે ગયો હતો, જ્યાં અકસ્માતે પાણીમાં પડી જતાં ડુબી જવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતક ના નાના ભાઈ સુરેશભાઈ બેચરભાઈ સીતાપરાએ પોલીસને જાણ કરતાં લાલપુરના પોલીસ હેડ કોસ્ટેબલ કે. જે. જાડેજાએ મૃતદેહ નો કબજો સંભાળી આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application