ભાવનગર જિલ્લાના મહુવા એસટીવર્કશોપ માં ફરજ બજાવતા નરેશભાઈ બાલુભાઈ સોંલકી(ઉ. વ. ૩૦, રે. કોળિયાક, જિ. ભાવનગર) રૂટ પરથી આવેલી બસ વર્કશોપ માં રિપેરિંગ માટે આવી હતી. બસને જેક લગાવીને નીચેના ભાગે રીપેરીંગ કરી રહ્યા હતા. ત્યારે અચાનક હાઇડ્રોલિક જેક છટકી જતાં નરેશભાઈ બસની નીચે દબાયા હતા. બસ નીચે દબાયેલા નરેશભાઈ ને તાત્કાલિક ૧૦૮ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
ઘટનાના પગલે દોડી ગયેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી હાલ અકસ્માતે મોતની નોંધ કરી વર્કશોપના સીસીટીવી ફૂટેજ ચકાસવા તેમજ વર્કશોપના બીજા કામદારોના નિવેદનો પણ લીધા હતા.
મૃતક નરેશભાઈ સોંલકી બે વર્ષ પૂર્વે જ મહુવા એસટી વર્કશોપમાં જોડાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાના પગલે નરેશભાઈના પરિવારજનોમાં શોક છવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવધુ વિકલાંગ, અન્ય પર નિર્ભર દિવ્યાંગોને એફ.ડી. માં વધુ વ્યાજ આપો
May 24, 2025 10:51 AMશેંઝેન વિઝા રદ થતા ભારતીયોને ૧૩૬ કરોડનું નુકસાન
May 24, 2025 10:50 AMજામનગરની સગીરા સાથેના દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની જેલસજા
May 24, 2025 10:49 AMઅમેરિકાથી મોકલાતા નાણા પર હવે આટલા ટકા ટેક્સ લાગશે
May 24, 2025 10:47 AMજામનગર જીલ્લાના દરીયાઇ કાંઠા વિસ્તારમાં બોટ-માછીમારની તપાસણી
May 24, 2025 10:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech