વધુ વિકલાંગ, અન્ય પર નિર્ભર દિવ્યાંગોને એફ.ડી. માં વધુ વ્યાજ આપો

  • May 24, 2025 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના સામાજિક કાર્યકરની ઉચ્ચકક્ષાએ રજુઆત

ખંભાળીયાના સામાજિક અગરજી કાર્યકર આલાભાઈ કરસનભાઈ ગોજીયા દ્વારા રાજ્યના વધુ પડતી વિકલાંગતા ધરાવતા તથા અન્ય પર નિર્ભર વિકલાંગોને બેંક વ્યાજ તથા એફ.ડી.માં સામાન્ય કરતા વધુ વ્યાજ આપવા વિસ્તૃત રજૂઆતો કમિશ્નર તથા અન્ય વિભાગોને કરવામાં આવી છે.

તેમણે રજુઆતમાં જણાવ્યુ છેકે,ખંભાળીયા, દ્વારકા જિલ્લા તથા રાજ્યના અનેક વિસ્તારોમાં એવા વધુ પડતા દિવ્યાંગો છે જે માનસિક તથા શારીરિક ખોડખાપણતાને લીધે અન્ય દિવ્યાંગો જેટલું કામ કરવા સક્ષમ નથી. જે સાથે જેમણે રોજિંદા જીવન વ્યવહારમાં પણ બીજા પર આધાર ફરજીયાત રાખવો પડતો હોય આવા વધુ પડતા દિવ્યાંગોને સરકાર દ્વારા એફ.ડી. કે બેંક ડિપોઝીટોમાં અન્યો તથા સામાન્ય કરતા વધુ વ્યાજ દર આપવા માંગણી કરી છે. જેથી આવા દિવ્યાંગો પોતાનું જીવન સારી રીતે સંપન્ન કરી શકે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application