અમદાવાદમાં તબીબી અભ્યાસ કરતા જામનગરના યુવાનનો આપઘાત

  • December 21, 2023 12:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગળેટૂંપો ખાઇ જીવન ટુંકાવતા ભારે અરેરાટી

અમદાવાદની હોસ્ટેલમાં રહી એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા જામનગરના વિદ્યાર્થીએ પોતાના રુમમાં ગળાટૂંપો ખાઈ આપઘાત કરી  લીધો છે. આ યુવાન થોડા સમયથી ડિપ્રેશનમાં હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતા જામનગરના ધ્રુવ મનસુખભાઈ ઘાડીયા નામના યુવાને સોમવારે રાત્રે બારેક વાગ્યે પોતાના એક મિત્રને મોબાઈલ પર મેસેજ કર્યા પછી મોડીરાત્રે ઓરડામાં રહેલા પંખામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાને ગઈકાલે સવારે તેના રૃમનું બારણું નહીં ખોલતા તપાસ કરાવાતા તેણે આત્મહત્યા કર્યાનું જાહેર થયું હતું. તેના પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો.
સ્થળ પર પહોંચેલી અમદાવાદ પોલીસે ક્યા કારણથી આ યુવાન આત્મહત્યા કરી તેની સઘન તપાસ શરૃ કરવામાં આવી છે. તે દરમિયાન બહાર આવેલી વિગત મુજબ સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલની સોપાનમ-૮ નંબરની વીંગમાં રહેતા મૂળ જામનગરના ધ્રુવ ઘાડીયાએ સોમવારે રાત્રે પોતાના મિત્રને મેસેજ કરી તેમાં લખ્યું હતું કે, બચાવી શકે તો બચાવી લે. તે પછી તેણે ગળાટૂંપો ખાઈ લીધો છે. આ વિદ્યાર્થી એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને થોડા સમયથી ડીપ્રેશનમાં હોવાનું જાણવા મળ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application