ગળેટૂંપો ખાઇ જીવન ટુંકાવતા ભારે અરેરાટી
અમદાવાદની હોસ્ટેલમાં રહી એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા જામનગરના વિદ્યાર્થીએ પોતાના રુમમાં ગળાટૂંપો ખાઈ આપઘાત કરી લીધો છે. આ યુવાન થોડા સમયથી ડિપ્રેશનમાં હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદની બી.જે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને ત્યાં જ હોસ્ટેલમાં રહેતા જામનગરના ધ્રુવ મનસુખભાઈ ઘાડીયા નામના યુવાને સોમવારે રાત્રે બારેક વાગ્યે પોતાના એક મિત્રને મોબાઈલ પર મેસેજ કર્યા પછી મોડીરાત્રે ઓરડામાં રહેલા પંખામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. આ યુવાને ગઈકાલે સવારે તેના રૃમનું બારણું નહીં ખોલતા તપાસ કરાવાતા તેણે આત્મહત્યા કર્યાનું જાહેર થયું હતું. તેના પગલે પોલીસ કાફલો દોડી ગયો હતો.
સ્થળ પર પહોંચેલી અમદાવાદ પોલીસે ક્યા કારણથી આ યુવાન આત્મહત્યા કરી તેની સઘન તપાસ શરૃ કરવામાં આવી છે. તે દરમિયાન બહાર આવેલી વિગત મુજબ સિવિલ હોસ્પિટલની બોયઝ હોસ્ટેલની સોપાનમ-૮ નંબરની વીંગમાં રહેતા મૂળ જામનગરના ધ્રુવ ઘાડીયાએ સોમવારે રાત્રે પોતાના મિત્રને મેસેજ કરી તેમાં લખ્યું હતું કે, બચાવી શકે તો બચાવી લે. તે પછી તેણે ગળાટૂંપો ખાઈ લીધો છે. આ વિદ્યાર્થી એમબીબીએસના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. અને થોડા સમયથી ડીપ્રેશનમાં હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech