ગાયત્રીનગરના યુવાને ઉઘરાણીની બીકથી ઝેરી દવા ગટગટાવી લીધી

  • September 26, 2024 03:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


 શહેરના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા એક યુવાને તેની પાસે બે શખ્સ પઠાણી ઉઘરાણી કરતા હોય તેમજ તેના બે મકાનના ન દસ્તાવેજ લઇ જતા ગભરાઈ ગયેલા યુવાને  શખ્સોના અસહ્ય ત્રાસથી કંટાળી આજે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે  સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. 
આ બનાવ અંગે ભરતનગર પોલીસે ધ તપાસ હાથ ધરી છે. ઝેરી દવા પી લેનાર મીત સુરેશભાઈ સોલંકી નામના યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવતાં તેણે  હોસ્પિટલ ખાતે કરેલા આક્ષેપમાં જણાવ્યું હતું કે, તે અગાઉ એક મહીલાને ત્યાં નોકરી  કરતો હતો અને તે સમયે તે મહિલાને પૈસાની જરૂરીયાત ઉભી થતાં તેણે રૂા.૫ લાખ વ્યાજે
લીધા હતા અને તે વ્યવહારમાં મારે કોઈ લેવાદેવા ન હોવા છતાં મને વચ્ચે રાખવામાં આવ્યો હતો. આ મહીલા પાસેથી પૈસા લેવાના નિકળતા હોવા છતાં જયપાલસિંહ અને ચેતન નામના બે શખ્સ છેલ્લા બે વર્ષથી તેને પરેશાન કરી રહ્યાં છે. તેણે જે મકાન ખરીદુ છે તે પેટા તેણે રૂા.૭ લાખ આપેલા છે તેમ છતાં આ બન્ને શખ્સ તેના બે મકાનના દસ્તાવેજ લઈ ગયા છે અને મકાન પણ નામે કરી આપતાં નથી. આ બન્ને શખ્સ પઠાણી ઉઘરાણી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં હોય તેણે કંટાળીને ઝેરી દવા પી લીધી છે. ભરતનગર પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application