દરેડમાં રીક્ષાએ બાઇકને ઠોકર મારતા એક યુવાનનું મોત

  • May 10, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેડમાં રીક્ષાએ બાઇકને ઠોકર મારતા એક યુવાનનું મોત


દરેડ રાંદલ માતાના મંદિર પાસે અજાણ્યા રીક્ષાના ચાલકે બેદરકારીથી ચલાવી મોટરસાયકલને ઠોકર મારતા એક યુવાનનું સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયું છે, આ અંગે રીક્ષાચાલક સામે ફરીયાદ કરવામાં આવતા પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

જામનગર નજીક દરેડ રાંદલ માતાના મંદિર પાસેના વિસ્તારમાં ગત તા. ૬ના એક અજાણ્યા રીક્ષાના ચાલકે ગફલતભરી રીતે અને માનવ જીંદગી જોખમાય તે રીતે ચલાવીને લાલપુરથી જામનગર તરફના આ રોડ પર બાઇક લઇને પસાર થતા જામનગરના હોશીયારસિંહ (ઉ.વ.૪૫) નામના યુવાનને હડફેટે લઇ અકસ્માત સર્જયો હતો.
​​​​​​​
રીક્ષાએ ઠોકર મારતા બાઇકચાલક શરીરે ગંભીર ઇજા થતા અત્રેની જી.જી. હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન યુવાનનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગે લાલપુર ચોકડી પાસે ઓમ પાર્કમાં રહેતા સંજય દેવરાજભાઇ વિરાણી દ્વારા અજાણ્યા રીક્ષાના ચાલક સામે ગઇકાલે પંચ-બીમાં ફરીયાદ નોંધાવી હતી જેના આધારે રીક્ષાચાલકની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application