ભાવનગર જિલ્લાના તળાજા વિસ્તારમાં પવનચક્કીને નુકશાન કરાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. તળાજા તાલુકામાં પવનચક્કીનો ઉદ્યોગ અનેક દ્રષ્ટિએ આવકનું સાધન બનેલ છે. હાલ તળાજા પંથકમાં પવનચક્કી ઉદ્યોગને લઈ સામાન્ય પુઠા થી લઈ કિંમતી ધાતુઓની ચોરીનો કારોબાર ખુલ્લે આમ ચાલતો હોવાની આ પંથકમા વ્યાપક ચર્ચા છે. તેવા સમયે દાઠા પોલીસ મથકમા કે.પી.એનર્જી લિમિટેડ કંપનીના ડે. મેનેજરએ ખંઢેરા અને સખવદરના લોકેશનની પવનચક્કીની અનેક પ્રકારની વસ્તુઓ તોડી નાખ્યાની ફરિયાદ બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર તળાજા ના ખંઢેરા અને સખવદર ગામ ખાતે પવનચક્કીઓ ફ્ટિ કરવામાં આવી છે. કે.પી.એનર્જી લિમિટેડ દ્વારા.તેના ડે. મેનેજર વિવેક મધુસુદનભાઈ પંચાલ ઉ.વ ૪૧ એ દાઠા પોલીસ મથકે ખંઢેરા ગામના અરવિંદ બારૈયા અને વિજયસિંહ રાઠોડ અને તપાસ દરમિયાન જે નામો નીકળે તેની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડે. મેનેજરનો બંને ઈસમો વિરુદ્ધ આરોપ છેકે ગત.તા.૨૫ ના રોજ ઈજનેર મહેશ ભગવાનભાઈ વાસીયાનો ફોન આવેલ કે પવનચક્કીની અલગ અલગ પ્રકારની અનેક વસ્તુઓનું આ બે ઈસમોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ને નુકશાન કરેલ છે. જે અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLoC પર ભારતીય કાર્યવાહી: 40 પાકિસ્તાની સૈનિકો ઠાર, DGMO દ્વારા કરવામાં આવી પુષ્ટિ
May 11, 2025 09:00 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:55 PMપાકિસ્તાન યુદ્ધવિરામ તોડશે તો 'કડક જવાબ' મળશે: DGMO ની ચેતવણી
May 11, 2025 08:53 PMઓપરેશન સિંદૂર: ભારતીય સેનાએ 100 આતંકવાદીઓને ઠાર કર્યા
May 11, 2025 08:48 PMપીએમ મોદીનો અમેરિકાને સખ્ત જવાબ; કહ્યું- કોઈ મધ્યસ્થીની જરૂર નહિ
May 11, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech