જૂનાગઢમાં માલીવાડા રોડને ત્રણ સપ્તાહ પૂર્વે પાણીની લાઈન નાખવા તોડવામાં આવ્યો છે. જેથી વાહન ચાલકો અને વેપારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારમાં વન-વેના બોર્ડ લગાવાયા હોવા છતાં નિયમની અમલવારી થતી નથી. રસ્તાને તોડવાથી સિંગલ પટ્ટી પર જ વાહન ચાલી રહ્યા છે.જેથી ટ્રાફિક જામ થાય છે.રસ્તા સમારકામ કરવા વેપારીઓ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. દિવાળીના તહેવારને માત્ર એક સપ્તાહ બાકી છે પરંતુ તંત્ર દ્વારા રસ્તા રીપેરીંગ ની કામગીરી ન થતા અણધડ કામગીરીથી રાહદારીઓ ,વેપારીઓમાં રોષ ફેલાયો છે.જૂનાગઢમાં મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈન નાખવા માલીવાડા રોડ પરનો રસ્તો તોડવામાં આવ્યો છે. જેથી સમગ્ર વિસ્તારમાં વાહન ચલાવવું તો ઠીક રાહદારીઓને ચાલીને જવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. દિવાળીના તહેવારો શરૂ થવામાં માત્ર એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે.પરંતુ હજુ સુધી રસ્તાની કામગીરી પૂર્ણ થઇ નથી.વેપારીઓ દ્વારા રસ્તો બનાવવા અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે.પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.માલીવાડા રોડ પર અવરજવર માટે રસ્તો વન વે છે.પરંતુ પોલીસ દ્વારા વન વેની અમલવારી કરવામાં આવતી નથી જેથી હાલની સ્થિતિમાં સાંકડા રસ્તા પર વાહનો પસાર થવાથી ટ્રાફિક જામ થાય છે.મુખ્ય રસ્તા પર વાહનોની કતારો જવા મળે છે.તેમજ રીપેરીંગના અભાવે વાહનોના અકસ્માત થવાના પણ બનાવો થઈ રહ્યા છે.સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ ખરીદી માટે આ વિસ્તાર મુખ્યત્વે છે. તહેવારો પૂર્વે જ રસ્તો તોડવામાં આવ્યો છે.જેથી ચાલીને જવું પણ મુશ્કેલરૂપ બની ગયું છે.વેપારીઓ દ્વારા રસ્તાને સમારકામ કરવા અનેકવાર રજૂઆત કરવામાં આવી છે.પરંતુ રસ્તાને બનાવવાનું તો ઠીક થીગડા મારવાની પણ કામગીરી કરવામાં આવી નથી.એક તરફ ટ્રાફિક જામ અને બીજી તરફ તૂટેલા રસ્તા વચ્ચે માલીવાડા વિસ્તારના વેપારીઓની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની છે.તહેવારો નિમિત્તે ખરીદી માટે લોકોનો ઘસારો રહેશે જેથી તાત્કાલિક રસ્તો રીપેરીંગ કરે તેવી વેપારીઓમાંથી માંગ ઊઠી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech