જામનગર મહાનગપાલિકાની જન્મ-મરણ શાખા એજન્ટને જાગૃત નાગરિકે પકડયો

  • July 05, 2024 10:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર મહાનગરપાલિકાની જન્મ-મરણનાં દાખલ આપતી શાખા હર હંમેશાં વિવાદમાં રહે છે. આજે પૈસા પડાવાતા એક એજન્ટને જાગૃત નાગરિક દ્વારા ઝડપી લેવાયો હતો.


જામનગર મહાનગર-પાલિકાની જન્મ-મરણના દાખલા આપતી શાખામાં દરરોજ અસંખ્ય લોકો જુદા જુદા દાખલા મેળવવા માટે આવતા રહે છે. જ્યાં તોડ પાણી થતા હોવાથી વ્યાપક ફરિયાદો ઉઠવા પામી રહી છે.


ખાસ કરીને પરપ્રાંતીય લોકો પાસેથી આવા દાખલા માટે ૩૦૦ રૂપિયાનો તગડો તોડ કરવામાં આવે છે. આવા એજન્ટો મહાનગરપાલિકાની આ શાખા નજીક સતત હાજર જોવા મળે છે. આજે એક જાગૃત નાગરિક ત્યાં આવ્યા હતા અને તોડ કરી રહેલા એજન્ટને રંગે હાથ ઝડપી લીધો હતો, અને કાંઠલો પકડી તેને બહાર ખેંચી જવાયો હતો. આ સમયે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.


સતત વિવાદમાં રહેતી જન્મ-મરણ શાખાનો અમુક સ્ટાફ પણ આ કૌભાંડમાં સંડોવાયેલ છે. અગાઉ પણ અનેક વખત કોર્પોરેટરો દ્વારા અવાજ ઉઠાવાયા છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application